1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન અપાયું
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન અપાયું

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન અપાયું

0
Social Share

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 80 સદસ્યોના નામોની આજે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે. પણ સાથે જ ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને પણ કારોબારીમાં સ્થાન અપાયુ છે.

ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે રાષ્ટ્રીય કોરોબારીની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, અને પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરાયો છે. તો સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ અને વિશેષ આમંત્રિતોમાં રમીલાબેન બારાનો સમાવેશ કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં 2 વર્ષ બાદ ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળવાની છે. 7 નવેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી મળશે. કોરોનાના કારણે 2 વર્ષથી રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી ન હતી. છેલ્લે જાન્યુઆરી 2019 માં રાષ્ટ્રીય કારોબારી મળી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડડાની આ પહેલી કારોબારી મળશે. તમામ રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સંગઠન મહામંત્રીઓને કારોબારીમાં સામેલ કરાયા છે. આ સાથે જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માટે 13 સદસ્યોનું સિલેક્શન કરાયુ છે. જેમાં છત્તીસગઢના ડો.રમન સિંહ, રાજસ્થાનથી વસુંધરા રાજે સિંધિયા, બિહારથી રાધા મોહન સિંહ, ચંદીગઢથી સૌદાન સિંહ, ઓરિસ્સાથી બૈજયંત જય પાંડા, ઝારખંડથી રઘુવર રાસ, પશ્ચિમ બંગાળથી દિલીપ ઘોષ, ઉત્તર પ્રદેશથી બેબી રાની મૌર્યા, ગુજરાતથી ડો. ભારતીબેન શિયાળ, તેલંગણાથી ડીકે અરુણા, નાગાલેન્ડથી એમ ચુબા આઓ અને કેરળથી અબ્દુલ્લા કુટ્ટીને સામેલ કરાયા છે. (file photo)

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code