1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચરખો ચલાવવો એ ભગવાનની ભક્તિથી ઓછું નથી, ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યાઃ મોદી
ચરખો ચલાવવો એ ભગવાનની ભક્તિથી ઓછું નથી, ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યાઃ મોદી

ચરખો ચલાવવો એ ભગવાનની ભક્તિથી ઓછું નથી, ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યાઃ મોદી

0
Social Share

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. વડાપ્રધાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પહોચ્યા હતાં જ્યાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને 7500 બહેનો સાથે ચરખો કાંત્યોં હતો. ત્યારબાદ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે ખાદી ફોર નેશન.. અમે ખાદી ફોર ફેશનના સંકલ્પમાં ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનો સંકલ્પ પણ ઉમર્યો..દેશભરમાંથી ખાદી સાથે જોડાયેલી સમસ્યા દૂર કરાઈ, જેનું પરિણામ આજે દુનિયા જોઈ રહી છે. 8 વર્ષમાં માત્ર ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યા છે.

વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં પોતાના ભાષણની શરૂઆતમાં સાબરમતી નદીને યાદ કરતા જણાવ્યું હતું કે આ કિનારો આજે ધન્ય થઈ ગયો છે, આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે 7500 ચરખા પર ભાઈઓ અને બહેનોએ એક સાથે ચરખો કાંતીને એક ઇતિહાસ રચી દીધો છે. આ મારું સૌભાગ્ય છે કે મને પણ ચરખો કાંતવાની તક મળી.  મારા માટે ચરખો ચલાવવો એ ભાવુક પળ હતી. મારા નાનપણમાં ચરખો અમારા ઘરમાં રહેતો હતો, આર્થિક ઉપાર્જન માટે મારી માતા ચરખો ચલાવતા હતા. ક્યારેક ક્યારેક મને લાગે છે કે જેમ એક ભક્ત ભગવાનની પૂજાના સામાનનો ઉપયોગ કરે છે, એમ ચરખો ચલાવવો પણ ભગવાનની ભક્તિથી ઓછું નથી. આઝાદી સમયે જેમ ચરખો એક અલગ ઉર્જા આપતો હતો, એવો જ અનુભવ આજે સાબરમતીના કિનારે થયો છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાદી ઉત્સવ યોજીને શહીદોને માન આપ્યું છે. ચરખા પર ચાલવા વાળા તમારા હાથ ભારતનું ભવિષ્ય પણ ગુંથી રહ્યું છે.

વડાપ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે,ખાદીનો એક-એક દોરો આંદોલનની તાકાત બન્યો અને ગુલામીની જંજીરો તોડી.  ઈતિહાસ સાક્ષી છે કે ખાદીનો એક દોરો આઝાદીની ચળવળનું બળ બન્યો, તેણે ગુલામીની સાંકળો તોડી નાખી. ખાદીનો સમાન દોરો વિકસિત ભારતના વચનને પૂર્ણ કરવા, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે.

વડાપ્રધાને જનમેદનીને સંબોધન કરતા ઉમેર્યું હતું કે,  15મી ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી પંચ-પ્રાણની વાત કરી હતી. આ પવિત્ર સ્થાન પર સાબરમતીના કિનારે, હું પંચ-પ્રાણનું પુનરાવર્તન કરવા માંગુ છું. પહેલું- દેશની સામે એક વિશાળ લક્ષ્ય, વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય, બીજું- ગુલામીની માનસિકતાનો સંપૂર્ણ ત્યાગ: ત્રીજું – આપણા વારસા પર ગર્વ , ચોથું- રાષ્ટ્રની એકતા વધારવાનો મજબૂત પ્રયાસ અને પાંચમું- નાગરિક ફરજ, ભારતના ખાદી ઉદ્યોગની વધતી શક્તિમાં મહિલા શક્તિનો પણ મોટો ફાળો છે. ઉદ્યોગ સાહસિકતાની ભાવના આપણી બહેનો અને દીકરીઓમાં સમાયેલી છે. ગુજરાતમાં સખી મંડળોનું વિસ્તરણ પણ તેનો પુરાવો છે, ખાદી sustainable clothingનું ઉદાહરણ છે, ખાદી એ eco-friendly clothingનું ઉદાહરણ છે. ખાદીમાં સૌથી ઓછા carbon footprint છે. એવા ઘણા દેશો છે જ્યાં તાપમાન વધારે છે, ખાદી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ખાદી વૈશ્વિક સ્તરે એક વિશાળ ભૂમિકા ભજવી શકે છે.

– પીએમ મોદીએ જણાવ્યું કે, હું દેશની જનતાને પણ એક અપીલ કરવા માંગુ છું. આવનારા તહેવારોમાં આ વખતે ખાદી ગ્રામોદ્યોગમાં બનેલી વસ્તુઓ જ ગિફ્ટ કરો. તમે વિવિધ પ્રકારના કાપડમાંથી બનાવેલા કપડાં લઈ શકો છો. પરંતુ જો તમે તેમાં ખાદીને સ્થાન આપો છો, તો વોકલ ફોર લોકલ અભિયાનને વેગ મળશે. છેલ્લા કેટલાંક દાયકાઓમાં વિદેશી રમકડાંની દોડમાં ભારતનો પોતાનો સમૃદ્ધ રમકડા ઉદ્યોગ નાશ પામતો હતો. પરંતુ સરકારના પ્રયાસો, રમકડા ઉદ્યોગ સાથે જોડાયેલા આપણા ભાઈ-બહેનોની મહેનતથી હવે પરિસ્થિતિ બદલાવા લાગી છે. હવે વિદેશથી આયાત થતા રમકડાંમાં ભારે ઘટાડો થયો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શનિવારે યોજાનારા ખાદી ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો. રાજ્યભરમાંથી ભાગ લેનારી 7500 મહિલા પણ ચરખો કાંતી ખાદી ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવાનો મેસેજ આપ્યો હતો .મોદી 1920થી અત્યારસુધી ઉપયોગમાં લેવામાં આવેલા 22 ચરખા પણ નિહાળ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code