1. Home
  2. ગુજરાતી
  3. ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ દિવસનું મહત્વ અને ઈતિહાસ
ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ દિવસનું મહત્વ અને ઈતિહાસ

ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ દિવસનું મહત્વ અને ઈતિહાસ

0
Social Share
  • ગુડ ફ્રાઈડેનો ઈતિહાસ
  • જાણો કેમ થાય છે તેની ઉજવણી?
  • શું છે તેની પાછળનું કારણ?

આ વર્ષે 15 ફેબ્રુઆરીએ ગુડ ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે.ભારત જેવા દેશમાં ઘણાં વિવિધ ધર્મો છે અને તેઓ બધા તેમને પ્રેમથી ઉજવે છે. દિવાળીથી લઈને ઈદ સુધી અને બૈસાખીથી લઈને ક્રિસમસ સુધીનો તહેવાર અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે.એપ્રિલ મહિનામાં ગુડ ફ્રાઈડે ઉજવવાની પરંપરા છે.ખ્રિસ્તી ધર્મના લોકો માટે ગુડ ફ્રાઈડેનું ઘણું મહત્વ છે.ખ્રિસ્તીઓના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક ગુડ ફ્રાઈડે છે, જે ઈસ્ટર સન્ડે પહેલા શુક્રવારે ઉજવવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ઈસુ ખ્રિસ્તના ક્રોસને યાદ કરે છે.ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે અથવા ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે.આ દિવસે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે.ઘણા લોકો ભગવાન ઇસુની યાદમાં ઉપવાસ કરે છે અને ઉપવાસ કર્યા પછી મીઠી રોટલી ખાય છે. ગુડ ફ્રાઈડેના અવસર પર જાણો આ દિવસનો ઈતિહાસ, મહત્વ અને કેટલીક ખાસ વાતો.

ગુડ ફ્રાઇડે ક્યારે છે ?

ખ્રિસ્તી સમુદાયનો તહેવાર ગુડ ફ્રાઈડે ઈસ્ટર સન્ડે પહેલા શુક્રવારે છે. વર્ષ 2022 માં ઇસ્ટર સન્ડે 17 એપ્રિલના રોજ છે. આવી સ્થિતિમાં 15 એપ્રિલે ગુડ ફ્રાઈડેની ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુડ ફ્રાઇડેનો ઇતિહાસ

ગુડ ફ્રાઈડે મનાવવા પાછળની માન્યતા એ છે કે,લગભગ બે હજાર વર્ષ પહેલા જેરુસલેમના ગેલીલ પ્રાંતમાં ઈશુ ખ્રિસ્ત લોકોને એકતા, અહિંસા અને માનવતાનો ઉપદેશ આપતા હતા.તે દરમિયાન લોકો તેમને ભગવાન માનવા લાગ્યા.પણ અમુક લોકો ઈસુ ખ્રિસ્તની ઈર્ષ્યા કરતા હતા. આવા લોકો ધાર્મિક અંધશ્રદ્ધા ફેલાવવામાં માનતા હતા.

તેઓએ ઈસુ ખ્રિસ્ત વિશે રોમના શાસક પિલાતુસને ફરિયાદ કરી, જેણે ભગવાનનો પુત્ર હોવાનો દાવો કર્યો.ઇસુ ખ્રિસ્ત પર ધર્મની તિરસ્કાર અને રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો.મૃત્યુની સજા ઈસુ ખ્રિસ્તને આપવામાં આવી હતી.તેને કાંટાનો તાજ પહેરાવવામાં આવ્યો અને તેને ચાબુક વડે મારવામાં આવ્યા.આ પછી તેને ખીલ્લીઓની મદદથી ક્રોસ પર લટકાવી દેવામાં આવ્યા.બાઇબલ અનુસાર, જે ક્રોસ પર ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા હતા તેને ગોલ ગાથા કહેવામાં આવે છે.

શા માટે તેને ગુડ ફ્રાઈડે નામ આપવામાં આવ્યું છે?

ગુડ ફ્રાઇડે દર વર્ષે તે દિવસે ઉજવવામાં આવે છે જ્યારે ઇસુ ખ્રિસ્તને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને વધસ્તંભ પર ચઢાવવાની સજા આપવામાં આવી હતી અને તેમનું અવસાન થયું હતું.જોકે,આ દિવસને બ્લેક ફ્રાઈડે અથવા ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. આ દિવસને ગુડ ફ્રાઈડે કહેવાનું કારણ એ હતું કે,લોકો તેને પવિત્ર દિવસ તરીકે ઉજવે છે. લોકો ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરે છે.ચર્ચમાં સેવા કરીને આપણે તે ક્ષણોને યાદ કરીએ છીએ જ્યારે ઈસુએ માનવ સેવા માટે પોતાનું જીવન આપ્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code