
પેટના દુખાવાને ગંભીર સમસ્યા ક્યારે ગણવી જોઈએ? જાણો એક્સપર્ટનો અભિપ્રાય
પેટમાં દુખાવાની સાથે સાથે ઉલ્ટી પણ થતી હોય તો સમજી જવું કે મામલો ગંભીર છે. કોઈ વ્યક્તિને ફૂડ એલર્જી, પેટમાં ઈન્ફેક્શન, ફ્લૂ જેવી સમસ્યા હોય તો તે પેટમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે. એસિડ રિફ્લક્સને કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ જોવા મળે છે.
પેટમાં દુખાવો ક્યારેક ગેસને કારણે થઈ શકે છે, પણ તે મોટું કારણ પણ હોઈ શકે છે. જેમ કે અતિશય ખાવું, વધુ પડતી ભૂખ લાગવી, અપચો થાય એવી વસ્તુ ખાવી વગેરે.
કોઈ બીમારીને કારણે પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. પેટમાં દુખાવો નોર્મલ હોઈ શકે છે અને તેના ઘણા ગંભીર કારણો પણ હોઈ શકે છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે ક્યારેક પેટમાં દુખાવો થાય છે.
ક્યારે સમજવું જોઈએ કે પેટમાં દુખાવો ગંભીર છે કે નહીં? આ જાણવા માટે ડૉક્ટરની શું રાય છે? પેટમાં સખત દુખાવો થાય છે અને સહન કરી શકતા નથી, તો સહન કરવાની બિલકુલ જરૂર નથી, આ માટે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ઘણી વખત સૂતી વખતે પેટમાં તેજ દુખાવો થવા લાગે છે. આ પણ ગંભીર બીમારીના લક્ષણો છે. આ પાચન તંત્રને લગતી ગંભીર સમસ્યા હોઈ શકે છે. પેટમાં ગેસ થવાને કારણે પણ સમસ્યા થઈ શકે છે.