1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની પ્રજા અનેક સમસ્યાથી પીડાઈ રહી છે, ત્યારે ભાજપ ગૌરવ યાત્રા લઈને નિકળી છેઃ કોંગ્રેસ
ગુજરાતની પ્રજા અનેક સમસ્યાથી પીડાઈ રહી છે, ત્યારે ભાજપ ગૌરવ યાત્રા લઈને નિકળી છેઃ કોંગ્રેસ

ગુજરાતની પ્રજા અનેક સમસ્યાથી પીડાઈ રહી છે, ત્યારે ભાજપ ગૌરવ યાત્રા લઈને નિકળી છેઃ કોંગ્રેસ

0
Social Share

અમદાવાદઃ  ગુજરાત અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. 84 રૂપિયે ડોલર પહોંચ્યો છે.  કોરોના કાળમાં ઑક્સિજન – બેડ – ઈન્જેક્શન વગર લાખો લોકો મૃત્યુ પામ્યા હતા,  ગુજરાતમાં વારંવાર પેપર ફૂટ્વાની ઘટનાઓ, પટ્રોલ,ડીઝલ અને રાધણગેસના ભાવમાં તોતિંગ વધારો, વધતી જતી મોંઘવારી, અને બેરોજગારી સહિત અનેક પ્રશ્નો અને સમસ્યાઓનો પ્રજા સામનો કરી રહી છે. ત્યારે શું આ માટે ભાજપ ગૌરવયાત્રા લઈને નીકળી છે?, તમામ બાબતોમાં નિષ્ફળ ગયેલી ભાજપને ગૌરવ યાત્રા કાઢવામાં પણ શરમ નથી આવતી તેમ  ભાજપ સામે આકરા સવાલો કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા  આલોક શર્માએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે, ભાજપની આ ગૌરવયાત્રા નહિ વિદાયયાત્રા છે. 27 વર્ષથી વધતો ભ્રષ્ટાચાર અને  અણઘડ વહિવટ માટે ગુજરાતના લોકોની ભાજપના નેતાઓએ માફી માગવી જોઇએ. ભાજપે ગુજરાત અને દેશને શું આપ્યું છે ? ગુજરાતમાં પોતાના હક્ક અને અધિકાર માટે જુદા જુદા 28 જેટલા આંદોલન ચાલી રહ્યા છે. અવાર નવાર ભાષણોમાં કોંગ્રેસના કારનામાની વાતો કરતા ભાજપે પોતાના કારનામાની ચિંતા કરવી જાઈએ. ગુજરાતમાં લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર છે,  1270 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. નકલી દારૂથી થતા મોત,  બેરોકટોક ડ્રગ્સ પરોસીથી બરબાદ થતું યુવાધન, આ તમામ ભાજપના કારનામા હોવા છતા ભાજપ ક્યા મોઢે ગૌરવ યાત્રા લઊને નિકળી છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે.

શર્માએ ઉમેર્યું હતું કે, છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના કુશાસન દરમિયાન ગુજરાતની એક આખી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ગુજરાતમાં વારંવાર પેપર ફુટવાની ઘટના એ ભાજપની ઓળખ બની ગઈ છે

સૌરાષ્ટ્રમાં વધુ એકવાર પેપર ફુટવાની ઘટના પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,. ગુજરાતમાં ભાજપના કુશાસનને કારણે પેપર ફુટવાનો સીલસીલો અટકવાનું નામ લેતુ નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં બી.બી.એ., બી.કોમ,ના પેપરલીકની ઘટના સામે આવી છે. ભાજપની પરીક્ષા લેવાની સિસ્ટમમાં ગોટાળા, ગેરરીતિઓની ફરીયાદો વારંવાર આવવા છતાં પણ કોઈ પરીક્ષા લેવાની સિસ્ટમમાં સુધારો થયો નથી. જેના લીધે ગુજરાતના યુવાનોના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાયા છે તે ઘણો ચિંતાનો વિષય છે. ભાજપ સરકાર 25 વર્ષના શાસનમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે દેશમાં અને ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ રહેલો છે. છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ બેરોજગાર બન્યા છે. 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર ભાજપા સરકારની ભેટ છે. ગુજરાતમાં સતત બનતી પેપર ફુટવાની ઘટનાઓ માટે જવાબદાર કોણ ? ગુજરાતની જનતાને ભાજપ જવાબ આપવો જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code