1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહીં ? સરકાર ટૂંકમાં નિર્ણય લેશે
કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહીં ? સરકાર ટૂંકમાં નિર્ણય લેશે

કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહીં ? સરકાર ટૂંકમાં નિર્ણય લેશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનના કેસમાં પણ આંશિક વધારો થયો છે. ત્યારે ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા વાઈબ્રનેટ સમિટને લઈને સરકાર અવઢવભરી સ્થિતિમાં મુકાઈ છે. વાઈબ્રન્ટ સમિટ યોજવી કે નહીં તે અંગે પીએમઓનું માર્ગદર્સન માંગવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અને તેનો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સહિત દેશભરમાં કોરોના તથા નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટના આયોજન પર સંકટના વાદળો ઘેરાયા છે. આગામી 10 જાન્યુઆરીથી યોજાનારા વાઇબ્રન્ટ સમિટના આયોજનને લઈને 31 ડિસેમ્બર સુધીમાં મહત્ત્વનો નિર્ણય લેવાશે. ગુજરાત સરકાર હવે આ સમિટ યોજવી કે નહીં અથવા યોજવી તો કેવી રીતે તે અંગે 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય કરશે. વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કંટ્રીના જ કેટલાંય દેશો ભારત સરકાર તરફથી એટ રિસ્ક નેશનની કેટેગરીમાં મુકાયાં હોવાથી તે વધુ  ચિંતાનો વિષય બન્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  વડાપ્રધાન કાર્યાલયના આદેશ અનુસાર 31 ડિસેમ્બરે જે નિર્ણય લેવાય તે રીતે જ ગુજરાત સરકાર હવે વાઇબ્રન્ટ સમિટને લઇને પગલાં લેશે. હાલ રાજ્ય સરકારે ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને માધ્યમ થકી વાઇબ્રન્ટ સમિટ યોજવા તથા એક સ્થળે માત્ર 400 કે તેથી પણ ઓછાં લોકોની હાજરી વચ્ચે તેનું આયોજન કરવું તેવી કામચલાઉ યોજના સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે, પરંતુ કેન્દ્રનો આદેશ આખરી હશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અગાઉ વાઇબ્રન્ટ સમિટમાં આવનારાં લોકો માટે વેક્સિન લીધેલી હોય સલાહભર્યું રહેશે તે માપદંડોને આધારે ઓનલાઇન નહીં પરંતુ ઓફલાઇન સમિટ જ યોજવી તે મુજબની જાહેરાત કરી હતી. આ ઉપરાંત અત્યાર સુધીમાં આ ઇવેન્ટ માટે 26 દેશો પાર્ટનર કંટ્રી તરીકે જોડાયાં છે તેમાંથી યુરોપિયન દેશો સહિતના અમુક દેશો એટ રિસ્ક નેશન કેટેગરીમાં હોવાથી ત્યાંથી આવતાં પ્રતિનિધીઓને લઇને પણ મોટો પ્રશ્ન ખડો થાય છે, કારણ કે તેમને નિયમાનુસાર ઓછામાં ઓછું એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડે તેમ  છે. આ દરમિયાન કહેવાય છે કે, 26 પૈકી ઘણાં પાર્ટનર કંટ્રીના રાજદૂતાવાસ તરફથી ગુજરાત સરકારને સંદેશો પાઠવ્યો છે કે તેમના કોઇપણ રાજકીય નેતા કે રાજદ્વારી આ સમિટમાં તેમની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાને લેતાં નહીં આવે. તેમના દેશના બિઝનેસ ડેલિગેશન તેમની રીતે સ્વતંત્રપણે નિર્ણય લઇને તેમના ખર્ચે અને જોખમે આવી શકશે.

ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લાં છ માસમાં ગુજરાતમાં આવતું વિદેશી મૂડી રોકાણ એટલેકે એફડીઆઇમાં ખૂબ મોટું ધોવાણ થયું છે. પાછલાં છ મહિનામાં એટલે કે એપ્રિલ માસથી સપ્ટેમ્બર માસ સુધીમાં ગુજરાતમાં માત્ર 11,145 કરોડ રૂપિયાનું એફડીઆઇ આવ્યું છે તે વર્ષ 2020-21ના નાણાંકીય વર્ષના 12 મહિનામાં 1,62,830 કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે પાછલાં વર્ષના 12 મહિનાની સામે આ વર્ષના છ મહિનામાં વિદેશી મૂડી રોકાણ સાત ટકા જેટલું નીચું રહ્યું છે. આ સંજોગોમાં હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સાઇન થનારાં એમઓયુના આંકડા અને રકમમાં પણ મોટો ઘટાડો થાય તેવું દેખાઇ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code