1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CM કાર્યાલયમાં પંકજ જોશી અને અવંતિકાસિંઘની નિયુક્તિ, તમામ મંત્રીઓનો સ્ટાફ બદલાશે
CM કાર્યાલયમાં પંકજ જોશી અને અવંતિકાસિંઘની નિયુક્તિ, તમામ મંત્રીઓનો સ્ટાફ બદલાશે

CM કાર્યાલયમાં પંકજ જોશી અને અવંતિકાસિંઘની નિયુક્તિ, તમામ મંત્રીઓનો સ્ટાફ બદલાશે

0

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલાય એટલે તેમનો સ્ટાફ પણ બદલાતો હોય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતાં જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ધરખમ ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ આઇએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે, જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની CMOના નવા ACS(એડિશનલ ચીફ સેક્રેટરી), જ્યારે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની CMOના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એનએન દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળના કાર્યાલય માટે અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવા માટેની કાર્યવાહી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વચગાળાની વ્યવસ્થા અથવા અનિયમિત વ્યવસ્થા કરવાના ભાગરૂપે શરૂ કરેલી આ પ્રક્રિયામાં સેકશન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી વર્ગના કુલ 70 અધિકારીઓના નામ ની યાદી જાહેર કરી છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે રાજ્ય સરકારના નવા મંત્રીમંડળના કાર્યાલય માટે વચગાળાની વ્યવસ્થા કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેમાં 35 જેટલા સેકશન અધિકારી ની અંગત સચિવની કામગીરી માટે નિમણૂક કરવામાં આવશે તેમ જ નાયબ સેક્શન અધિકારી ની અંગત મદદનીશ તરીકેની કામગીરી કરવા માટે નિમણૂક કરવામાં આવશે અને આ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો ના 70 જેટલા સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી ઓના નામ ની યાદી જાહેર કરવામાં આવી છે.

જેમાં સ્પષ્ટ કહ્યું છે કે મંત્રીમંડળની શપથવિધી પછી બે મહિના અથવા નિયમિત સ્ટાફની નિમણૂક કરવામાં આવશે જોકે પ્રક્રિયાના ભાગરૂપે આજે સાંજે 5:00 તમામ સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારીઓની ખાસ બેઠક મળશે જેમાં નિશ્ચિત કરેલા અધિકારીઓને નિમણૂક પત્રો આપવાની કામગીરી કરવામાં આવશે ઉલ્લેખની છે કે જાહેર કરેલી યાદીમાં 35 ટ્રેકટર અધિકારીઓ અને 35 નાયબ સેક્શન અધિકારીઓને સમાવેશ કરવામાં આવી છે અને આ તમામને બેઠકમાં હાજર રહેવા સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર દ્વારા જણાવાયું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code