1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી હાઈકોર્ટે લાઠીચાર્જની ઘટના અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ આપી
દિલ્હી હાઈકોર્ટે લાઠીચાર્જની ઘટના અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ આપી

દિલ્હી હાઈકોર્ટે લાઠીચાર્જની ઘટના અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ આપી

0
Social Share

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: સંસદ તરફના કૂચ દરમિયાન પોલીસ દ્વારા કથિત રીતે અતિશય બળપ્રયોગ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને તેમને ચાર અઠવાડિયાની અંદર તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એન. હરિહરને જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન બાદ જંતર-મંતર ખાતે એકત્ર થયેલી ભીડ માત્ર પોતાના અધિકારોનો જ ઉપયોગ કરી રહી હતી. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પર ભાર મૂક્યો અને નિર્દેશ કર્યો કે તેમની સામે અતિશય બળનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ASGએ જણાવ્યું હતું કે જો અરજદાર પાસે પુરાવા હોય, તો તેમણે મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવો જોઈએ અને FIR નોંધવાની માંગ કરવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો કોઈ ‘કોગ્નિઝેબલ’ (પોલીસ દ્વારા વોરંટ વિના ધરપકડ કરી શકાય તેવો) ગુનો આચરવામાં આવ્યો હોય, તો સંપર્ક કરવામાં આવતા પોલીસ FIR નોંધવા માટે બંધાયેલી રહેશે.

વધુ વાંચો: 10 વર્ષમાં 152 પેપર લીક, એક પણ દોષિતને સજા નહીં: રાહુલ ગાંધીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code