10 વર્ષમાં 152 પેપર લીક, એક પણ દોષિતને સજા નહીં: રાહુલ ગાંધીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી
નવી દિલ્હી, 22 જુલાઈ 2026: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે સુરક્ષા દળોએ તેમને નિર્દયતાથી માર માર્યો. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે છેલ્લા 10 વર્ષમાં પેપર લીકની 152 ઘટનાઓ બની છે, જેની સીધી અસર 7.5 કરોડ પરિવારો પર પડી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ વ્યવસ્થામાં સુધારાની માંગ કરી રહ્યા છે. પેપર લીક થવાના ૧૫૨ કેસોમાં એક પણ વ્યક્તિને સજા કરવામાં આવી નથી. યુવાનોમાં વ્યવસ્થા પ્રત્યે રોષ છે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂર છે.
સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ નથી – રાહુલ ગાંધી
વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે દેશની શિક્ષણ વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ નથી. NEET પરીક્ષા પાછળનો ખર્ચ શિક્ષણ બજેટ જેટલો જ છે; વિદ્યાર્થીઓ NEET પરીક્ષા પાછળ 1.32 લાખ કરોડ ખર્ચી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાને દેશની શિક્ષણ વ્યવસ્થાનો નાશ કર્યો છે. ૪૦ લાખ રૂપિયા ધરાવનાર કોઈપણ વ્યક્તિ સરકારી નોકરી મેળવી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે આજે દેશમાં શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે મધ્યમ વર્ગ પ્રગતિ કરી શકતો નથી. સરકારી નોકરીઓના નામે વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં આવે છે, છતાં 40-50 લાખ રૂપિયા ચૂકવનારા લોકોને ‘બેક ડોર’ (અનધિકૃત કે છૂપી રીતે) દ્વારા નોકરીમાં સામેલ કરવામાં આવે છે. આજે વિદ્યાર્થીઓ ઠગાયેલા હોવાનું અનુભવે છે.


