1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની 4500 બસો એક્સ્ટ્રા મુકાશે
ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની 4500 બસો એક્સ્ટ્રા મુકાશે

ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની 4500 બસો એક્સ્ટ્રા મુકાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આગામી 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો નોંધાયેલા હોવાથી ગામેગામથી શહેરોના પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો ઉમટી પડશે. ઉમદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા માટે 4 હજારથી વધુ બસો ઉમેદવારો માટે મૂકવામાં આવશે. શહેરના તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને કેન્દ્રના શહેર સુધી પહોંચાડી શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. વેકેશન હોવાથી બસમાં એસટી બસોમાં વધુ ટ્રાફિક રહેતો હોવાથી ઉમેદવારોને ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી લેવાની એસટી નિગમ દ્વારા અપિલ કરવામાં આવી છે,

ગુજરાત ST નિગમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. તેવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગત વખતે 3500 જેટલી બસો મૂકવામાં આવી હતી, પરંતુ આ વખતે 8.50 લાખ ઉમેદવારો નોંધાયો છે. જેથી અંદાજે બે લાખ જેટલા ઉમેદવારો એસટી બસનો ઉપયોગ કરશે તેવી શક્યતાઓના પગલે આ વખતે 4,500 જેટલી બસો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસ મળી રહે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતુંકે, તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવાની છે તે સમયગાળો વેકેશનનો પણ છે. જેથી એસટી બસમાં મુસાફરોની અવરજવર વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખી અને બસો મૂકવામાં આવશે. ઉમેદવારોને એસટી નિગમ દ્વારા અપિલ કરવામાં આવી છે. કે, જો એસટી બસમાં મુસાફરી કરવાના હોય તો તેઓ એડવાન્સ બુકિંગ કરાવી લે, જેથી કોઈ તકલીફ ન પડે. ગુજરાત એસટી નિગમ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ પણ અમદાવાદ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે થઈ અને પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે. જેથી તમામ એસ.ટી બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ જાણ કરી દેવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code