1. Home
  2. Agency
  3. News
  4. સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી
સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી

સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી

0
Social Share

નવી દિલ્હી, 11 જૂન 2026 – કેન્દ્ર સરકારે વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત આપતાં વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પરથી એક્સાઇઝ ડ્યુટી (આબકારી જકાત) સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. સરકારે 22%, 25%, 27% અને 30% ઈથેનોલ ધરાવતા પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં મુક્તિ વધારી દીધી છે.

BIS સ્ટાન્ડર્ડ મુજબ ફ્યુઅલ બ્લેન્ડ્સ પર એક્સાઇઝ ડ્યુટીનો દર શૂન્ય રહેશે. સરકારે એક સર્ક્યુલર જાહેર કરીને આ માહિતી આપી છે. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે 22 ટકાથી લઈને 30 ટકા સુધી ઈથેનોલના મિશ્રણવાળા પેટ્રોલને એક્સાઇઝ ડ્યુટીના દાયરામાંથી બહાર કરી દેવામાં આવ્યું છે અને હવે 22%, 25%, 27% અને 30% ઈથેનોલવાળા પેટ્રોલ પર કોઈ પણ પ્રકારની એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં નહીં આવે.

સરકારના નિર્ણયથી સૌને લાભ

સરકારના આ નિર્ણયથી માત્ર સામાન્ય લોકોને જ મોટી રાહત નહીં મળે, પરંતુ તેનાથી પેટ્રોલિયમ કંપનીઓ અને દેશના તમામ શેરડી પકવતા ખેડૂતોને પણ ફાયદો થશે. ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની કિંમતોમાં ચાલી રહેલા ભારે ઉછાળા વચ્ચે, દેશમાં પેટ્રોલના ભાવોને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યથી આને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

22 થી 30 ટકા સુધીના ઈથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ પરથી એક્સાઇઝ ડ્યુટી હટાવવાને કારણે તેની કિંમતો વર્તમાન E20 પેટ્રોલ (20 ટકા મિશ્રણવાળું પેટ્રોલ) ના ભાવો કરતાં નોંધપાત્ર રીતે ઓછી થઈ જશે.

સરકારના આ નિર્ણયથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલની માંગમાં વધારો થવાની અપેક્ષા છે.

ઈથેનોલની માંગ વધવાથી શેરડી પકવતા ખેડૂતોને પાકની સરસ કિંમત મળશે અને વધુ ઉત્પાદનની સ્થિતિમાં ભાવો સ્થિર રહેશે.

આનાથી ખેડૂતોને ચુકવણીમાં થતા વિલંબમાંથી પણ મુક્તિ મળવાની આશા છે.

ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતામાં ભારે ઘટાડો આવશે.

પેટ્રોલિયમ કંપનીઓ પર તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થતા મોટા વધારાની ખાસ અસર નહીં પડે.

ફ્લેક્સ ફ્યુઅલથી ચાલતી કેટલીક ગાડીઓ લોન્ચ

જો કે, સરકારના આ નિર્ણયનો તાત્કાલિક લાભ મળી શકશે નહીં. વાસ્તવમાં, અત્યારે બજારમાં E20 પેટ્રોલને સપોર્ટ કરનારા એન્જિનવાળી ગાડીઓ જ ઉપલબ્ધ છે. કેટલીક કંપનીઓએ હમણાં તાજેતરમાં જ ફ્લેક્સ ફ્યુઅલથી ચાલતી ગાડીઓ લોન્ચ કરી છે, જેના એન્જિન 85 ટકા ઈથેનોલવાળા પેટ્રોલ સાથે પણ જબરદસ્ત રીતે તાલમેલ મિલાવી શકે છે, જેમ બાકીની ગાડીઓના એન્જિન E20 પેટ્રોલ સાથે તાલમેલ મિલાવી રહ્યા છે.

વધુ ઈથેનોલને સપોર્ટ કરતા એન્જિન બનાવવા પર ફોકસ

આની સાથે જ, કંપનીઓ પોતાની નવી ગાડીઓના એન્જિનને એવી રીતે તૈયાર કરી રહી છે, જેથી તે વધુમાં વધુ ઈથેનોલવાળા એન્જિન સાથે સારી રીતે તાલમેલ મિલાવી શકે. એટલું જ નહીં, સરકારના આ નિર્ણયથી હવે ઓટો કંપનીઓ પણ વધુ ઈથેનોલવાળા પેટ્રોલથી ચાલતા એન્જિન ડેવલપ કરવા પર ભાર મૂકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code