1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે રૂ. 3.20 લાખ કરોડના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંકઃ PM મોદી
ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે રૂ. 3.20 લાખ કરોડના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંકઃ PM મોદી

ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે રૂ. 3.20 લાખ કરોડના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંકઃ PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ  જાપાનના વડાપ્રધાન કિશિદા ભારતની મુલાકાતે આવ્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાના પીએમ કિશિદા વચ્ચે મીટીંગ મળી હતી. જાપાનના પીએમ સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પીએમ  નરેન્દ્ર મોદીનું પ્રેસ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે, અમે આગામી 5 વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે ત્રણ લાખ વીસ હજાર કરોડ રૂપિયાના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ દિશામાં સારી પ્રગતિ થઈ છે તે સંતોષની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પીએમ કિશિદા અને હું છેલ્લા એક વર્ષમાં ઘણી વખત મળ્યા છીએ, અને દરેક વખતે, મેં ભારત-જાપાન સંબંધો પ્રત્યે તેમની સકારાત્મકતા અને પ્રતિબદ્ધતા અનુભવી છે.  તેથી, તેમની આજની મુલાકાત અમારા સહકારની ગતિ જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી થશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારી આજની મુલાકાત બીજા કારણથી પણ ખાસ છે. આ વર્ષે ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને જાપાન G7ની અધ્યક્ષતા કરી રહ્યું છે. તેથી, અમારી સંબંધિત પ્રાથમિકતાઓ અને રુચિઓ પર સાથે મળીને કામ કરવાની આ શ્રેષ્ઠ તક છે.  પીએમ કિશિદાને ભારતના G20 પ્રેસિડન્સીની પ્રાથમિકતાઓ વિશે વિગતવાર સમજાવ્યું હતું. ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને અવાજ આપવો એ આપણા G20 પ્રેસિડેન્સીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. અમે આ પહેલ કરી છે કારણ કે, અમે એક એવી સંસ્કૃતિ છીએ જે “વસુધૈવ કુટુંબકમ”માં માને છે અને દરેકને સાથે લઈ જવામાં માને છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી આપણા સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાયદાના શાસનના આદર પર આધારિત છે. આ ભાગીદારીને મજબૂત બનાવવી માત્ર આપણા બંને દેશો માટે જ મહત્વપૂર્ણ નથી, તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પણ પ્રોત્સાહન આપે છે. આજે અમારી વાતચીતમાં અમે અમારા દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી છે. અમે સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી સહયોગ, વેપાર, આરોગ્ય અને ડિજિટલ ભાગીદારી પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું. અમે સેમિકન્ડક્ટર અને અન્ય નિર્ણાયક તકનીકોમાં વિશ્વસનીય સપ્લાય ચેઇનના મહત્વ પર પણ ફળદાયી ચર્ચા કરી હતી. ગયા વર્ષે, અમે આગામી 5 વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે ત્રણ લાખ વીસ હજાર કરોડ રૂપિયાના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ દિશામાં સારી પ્રગતિ થઈ છે તે સંતોષની વાત છે.

2019માં, અમે ભારત-જાપાન ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા ભાગીદારીની સ્થાપના કરી હતી. આ હેઠળ, અમે લોજિસ્ટિક્સ, ફૂડ પ્રોસેસિંગ, MSME, કાપડ, મશીનરી અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં ભારતીય ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારી રહ્યા છીએ. આજે અમે પણ આ ભાગીદારીની સક્રિયતા પર ખુશી વ્યક્ત કરી છે. અમે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પર પણ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. મને એ વાતનો પણ આનંદ છે કે આપણે 2023ને પ્રવાસન વિનિમયના વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આ માટે અમે “કનેક્ટીંગ હિમાલય વિથ માઉન્ટ ફુજી” થીમ પસંદ કરી છે.

પીએમ કિશિદાએ મને મે મહિનામાં હિરોશિમામાં યોજાનારી G7 લીડર્સ સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. આ માટે હું મારા હૃદયના ઉંડાણથી તેમનો આભાર માનું છું. થોડા મહિનાઓ પછી સપ્ટેમ્બરમાં, મને G20 નેતાઓની સમિટ માટે ફરીથી ભારતમાં પીએમ કિશિદાનું સ્વાગત કરવાની તક મળશે. અમારી વાતચીત અને સંપર્કોની આ શ્રેણી આમ જ ચાલુ રહે અને ભારત-જાપાન સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શતા રહે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code