1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાળંગપુરમાં 54 ફુટ ઊંચી હનુમાનજીની વિરાટ મૂર્તિ (સ્ટેચ્યુ)નું 6ઠ્ઠી એપ્રિલે કરાશે લાકાર્પણ
સાળંગપુરમાં 54 ફુટ ઊંચી હનુમાનજીની વિરાટ મૂર્તિ (સ્ટેચ્યુ)નું 6ઠ્ઠી એપ્રિલે કરાશે લાકાર્પણ

સાળંગપુરમાં 54 ફુટ ઊંચી હનુમાનજીની વિરાટ મૂર્તિ (સ્ટેચ્યુ)નું 6ઠ્ઠી એપ્રિલે કરાશે લાકાર્પણ

0
Social Share

બોટાદઃ સુપ્રિદ્ધ તિર્થધામ એવા સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના પરિસરમાં આગામી તા. 6 ઠ્ઠી એપ્રિલને ગુરૂવારે  54 ફૂટ ઊંચી પંચધાતુમાંથી બનાવેલી હનુમાનજીની મૂર્તિને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મૂકાશે. સાથે જ અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા હાઈટેક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે.  આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 6 ઠ્ઠી  એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. ત્યારે  સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના પરિસરમાં પંચધાતુ માંથી બનેલી 54 ફૂટ ઊંચી  હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાશે. સાથે જ સાળંગપુરમાં ભક્તો માટે બનાવાયેલા હાઈટેક ભોજનાલયને પણ ખુલ્લુ મૂકાશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. હાલ મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. તેનું ફીનિશિંગ કામ ચાલી રહ્યું છે. જે જલ્દી પૂર્ણ થઈ જશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સાળંગપુરમાં હનુમાનજી દાદાના 54 ફુટ ઊંચા સ્ટેચ્યુની સાથે હાઈટેક ભોજનાલય બનાવવામાં આવ્યું છે. જેમાં એકસાથે 4000 લોકો બેસીને ડાઈનિંગ ટેબલ પર જમી શકશે. આ માટે કિચન પણ ભવ્ય બનાવાયું છે. 6 એપ્રિલના રોજ યોજાનારા ભવ્ય પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.

તાજેતરમાં જ ધુળેટી પર્વના દિને  સાળંગપુર ખાતે ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે મંગળા આરતી, શણગાર આરતી બાદ દાદાને ધરાવેલા 10 પ્રકારના 25 હજાર કિલો ઓર્ગેનિક કલર દ્વારા ભવ્ય ધૂળેટીની ઉજવણી કરી હતી. જ્યારે આગામી હનુમાન જયંતીના અવસરે દાદાની પંચધાતુની ભવ્ય પ્રતિમા દર્શનાર્થે વિશેષ મહાનુભવોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code