1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શ્રીનગરના લાવાપોરમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, અન્ય 2 ઇજાગ્રસ્ત
શ્રીનગરના લાવાપોરમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, અન્ય 2 ઇજાગ્રસ્ત

શ્રીનગરના લાવાપોરમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, અન્ય 2 ઇજાગ્રસ્ત

0
Social Share
  • શ્રીનગરના લાવાપોર વિસ્તારમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો
  • આ આતંકી હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા
  • આ હુમલામાં 2 જવાન ઇજાગ્રસ્ત પણ થયા

નવી દિલ્હી: લાવાપોરા વિસ્તારમાં ગુરુવારે બપોરે આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ ટૂકડી પર હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીનગરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો લાવાપોરા વિસ્તારમાં થયો છે. CRPF પાર્ટી પર હુમલામાં બે જવાન શહીદ થયા છે. જ્યારે 2 જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

CRPF પર થયેલા આતંકી હુમલાની જાણકારી આપતા આઇજી વિજય કુમારે જણાવ્યું હતું કે, આ હુમલામાં CRPFના બે જવાનો શહીદ થયા છે અને બે જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code