1. Home
  2. ગુજરાતી
  3. રાજકુન્દ્રાની ઘરપકડ બાદ ફર્સ્ટ ટાઈમ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર થઈ લાઈવ ,પ્રાણાયામ ને લઈને કહ્યું કંઈક આવું
રાજકુન્દ્રાની ઘરપકડ બાદ ફર્સ્ટ ટાઈમ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર થઈ લાઈવ ,પ્રાણાયામ ને લઈને કહ્યું કંઈક આવું

રાજકુન્દ્રાની ઘરપકડ બાદ ફર્સ્ટ ટાઈમ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર થઈ લાઈવ ,પ્રાણાયામ ને લઈને કહ્યું કંઈક આવું

0
Social Share
  • રાજકુન્દ્રાની જેલ બાદ ફર્સ્ટ ટાઈમ  જાહેરામાં દેખાઈ  શિલ્પા શેટ્ટી
  • રાજની ઘરપકડ બાદ શિલ્પા ખૂબ ટ્રાલ થઈ રહી છે

મુંબઈઃ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો બનાવવા અને બતાવવા માટે હાત જેલની સજા ભોગવી રહ્યા છે. તેની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે શિલ્પા શેટ્ટીને ખૂબ જ  ટ્રોલ કરી હતી. તે એક ડાન્સિંગ રિયાલિટી શોને જજ કરી રહી હતી ત્યાથી પણ તેણે. દૂર થવું પડ્યું, રાજ કુન્દ્રાની ધરપકડ બાદ હવે શિલ્પા શેટ્ટી પહેલી વખત જાહેરમાં દેખાઈ છે.

જાણો સોશિયલ મીડિયા પર લાઈવ થઈ શિલ્પા એ શું કહ્યું

શિલ્પા કોવિડ -19 ફંડ રેઝર તરીકે ‘વી ઓફ ઇન્ડિયા’ સાથે સંકળાયેલી છે, જે અંતર્ગત તે રવિવારે સોશિયલ મીડિયા પર લાઇવ જોવા મળી હતી. આ દરમિયાન શિલ્પાએ યોગ વિશે જણાવ્યું. શિલ્પા કહે છે કે ‘આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં બધું બ્રિફીંગ અથવા શ્વાસ લેવા પર આધારિત છે. શ્વાસ એ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા આપણે આપણી સમગ્ર સિસ્ટમને સુરક્ષિત કરી શકીએ છીએ. જો તમારા નેઝલ પેસેજ સાફ કરવામાં આવે છે, તો ઓક્સિજન તમારા મગજના કોષો સુધી સારી રીતે પહોંચી શકશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે.

શિલ્પાએ આજના સમયમાં નકારાત્મક વિચારો સામે કેવી રીતે લડવું તે જણાવ્યું. તે કહે છે કે ‘મુશ્કેલ સમયમાં નકારાત્મક વિચારસરણી થવી સ્વાભાવિક છે, પરંતુ તેને નિયંત્રિત કરવા માટે, પ્રાણ પર પરિમાણ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં, સકારાત્મક રહેવા માટે તમારા શ્વાસને સુધારવા માટે પ્રાણાયામ પહેલા કરતા વધુ મહત્વનું બની ગયું છે.વીડિયોના અંતમાં અભિનેત્રી શિલ્પાએ કહ્યું કે ‘મને આશા છે કે પ્રાણાયામ તમારા રોજિંદા જીવનમાં તમારી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યને લાભ કરશે.’

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code