હવે ઈલેક્ટ્રિક વાહનોનો જમાનો છે, માત્ર આટલા રૂપિયામાં લાગી જશે ઘરે બેઠા ચાર્જર
- ઈલેક્ટ્રિક વાહનોને લઈને સરકારની જાહેરાત
- હવે સસ્તામાં લાગી જશે ઈલેક્ટ્રિક વાહનનું ચાર્જર
- ઈલેક્ટ્રિક વાહન ખરીદનારને હવે ચિંતા નહી
દિલ્લી: આ વાત બધાને ખબર છે કે હવે આગળનો સમય ઈલેક્ટ્રિક વાહનોનો છે. લોકો પેટ્રોલ-ડીઝલ વાળી ગાડીઓ તો ખરીદે જે છે સાથે કેટલાક લોકો ઈલેક્ટ્રિક ગાડીને પણ ખરીદે છે. હવે જે લોકો ઈલેક્ટ્રિક વાહન ખરીદવાની તૈયારીમાં છે તે લોકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે અરજી સબમિટ કર્યાના સાત કામકાજના દિવસોમાં ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જર ઇન્સ્ટોલ અને કાર્યરત કરવામાં આવશે. દેશમાં ઈંધણની વધતી જતી મોંઘવારી વચ્ચે ઈલેક્ટ્રિક વાહનોની સાથે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ચાર્જ કરવા પર પણ ધ્યાન આપી રહી છે.
દિલ્હીના પરિવહન પ્રધાન ગોપાલ રાયના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સરકાર ચાર્જિંગ સ્ટેશન માટે પ્રથમ 30,000 અરજદારોને રૂ. 6,000 ની સબસિડી પૂરી પાડી રહી છે, જેનાથી પ્રત્યેક ચાર્જરની અસરકારક કિંમત આશરે રૂ. 2,500 છે. રાયે કહ્યું કે દિલ્હી સરકારના આ પગલાથી ચાર્જરની કિંમતમાં 70 ટકા સુધીનો ઘટાડો થશે.
દિલ્હી સરકાર શહેરના મોલ્સ, એપાર્ટમેન્ટ્સ, હોસ્પિટલો અને આવા અન્ય સ્થળોએ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર સહિત હળવા ઇલેક્ટ્રિક વાહનો માટે વ્યક્તિગત ચાર્જર ઇન્સ્ટોલ કરવા માટે માત્ર રૂ. 2,500 ની રકમ વસૂલશે. સિંગલ વિન્ડો સુવિધા શરૂ કરતાં, દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગહલોતે જાહેરાત કરી હતી કે ગ્રાહકો સંબંધિત ડિસ્કોમ પોર્ટલની મુલાકાત લઈને અથવા ખાનગી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા માટે હેલ્પલાઈન નંબરો પર કૉલ કરીને લાભ મેળવી શકે છે.