1. Home
  2. ગુજરાતી
  3. ગુરુગ્રામઃ દિલ્હી-જયપુર હાઈવે પર કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત
ગુરુગ્રામઃ દિલ્હી-જયપુર હાઈવે પર કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત

ગુરુગ્રામઃ દિલ્હી-જયપુર હાઈવે પર કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત

0
Social Share

નવી દિલ્હીઃ દિલ્હી-જયપુર હાઈવે પર ગુરુગ્રામ પાસે પૂરઝડપથી પસાર થતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓના મોત થયાં હતા. આ તમામ વ્યક્તિઓ મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત જઈ રહ્યાં હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુગ્રામના બિનૌલા નજીક દિલ્હી-જયપુર હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વ્યક્તિઓના મોત થયાં હતા. દિલ્હી-જયપુર હાઈવે ઉપર મોટરકાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામાનારા તમામ ગુરુગ્રામની એક કંપનીના કર્મચારીઓ હોવાનું જાણવા મળે છે. ભારત ભુષણ, ચંદ્રમોહન, સંદીપ, પ્રવીણ શર્મા અને આશીષ નામની વ્યક્તિઓના મોત થયાં હતા. તમામ વ્યક્તિઓ ચંદ્રમોહનના જન્મ દિવસની ઉજવણી કરીને ગાઝિયાબાદથી પરત જઈ રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. કાર ચાલક આશીષને ઝોકુ આવી જતા તેમની કાર કન્ટેનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થલે જ મોત થયાં હતા. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. માર્ગ અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code