Homeગુજરાતી'કેપ્સુલ ગિલ':અક્ષય કુમાર માઈનિંગ એન્જિનિયરની ભૂમિકામાં જોવા મળશે

‘કેપ્સુલ ગિલ’:અક્ષય કુમાર માઈનિંગ એન્જિનિયરની ભૂમિકામાં જોવા મળશે

  • અક્ષય કુમાર તેના આગામી પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત
  • માઈનિંગ એન્જિનિયરની ભૂમિકામાં જોવા મળશે એક્ટર
  • અક્ષયની સાથે ફરી એકવાર જોવા મળશે પરિણીતી ચોપડા

મુંબઈ:અક્ષય કુમારની એક ફિલ્મ પૂરી ન થાય ને તરત જ બીજી ફિલ્મમાં કામ કરવા માટે લાગી જાય છે.તાજેતરમાં જ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રિલીઝ થઈ હતી.આ સાથે, અક્ષય તેની આગામી ફિલ્મ ‘રક્ષા બંધન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે આ વર્ષે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે.દરમિયાન, અભિનેતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, જે સત્ય ઘટના પર આધારિત છે.

બોલિવૂડ ખિલાડી તેના આગામી પ્રોજેક્ટ ‘કેપ્સુલ ગિલ’માં એન્જિનિયરની ભૂમિકામાં જોવા મળશે.આ બાયોપિકનું શૂટિંગ યુકેમાં થવાનું છે.અક્ષય કુમાર જુલાઇમાં માઇનિંગ એન્જિનિયર જસવંત ગિલની બાયોપિકના શૂટિંગ માટે યુકે જવા રવાના થશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુલાઈના અંત સુધી શૂટિંગ શેડ્યૂલ યુકેમાં જ છે.યુકેમાં ‘કેપ્સુલ ગિલ’નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી, અક્ષય કુમાર ઓગસ્ટમાં ભારત આવતાની સાથે જ ‘રક્ષા બંધન’નું પ્રમોશન શરૂ કરશે.

આ બાયોપિકમાં પરિણીતી ચોપડા પણ છે, જે ‘કેસરી’ પછી બીજી વખત અક્ષય સાથે સ્ક્રીન પર જોવા મળશે.પરિણીતી અક્ષયની પત્નીના રોલમાં છે.માઈનિંગ એન્જિનિયર જસવંત ગિલના જીવન પર આધારિત બાયોપિક ‘કેપ્સુલ ગિલ’ બનવા જઈ રહી છે.સત્ય ઘટનાઓ પર આધારિત આ બાયોપિકમાં અક્ષય કુમાર એન્જિનિયર જસવંત ગિલના રોલમાં જોવા મળશે.મામલો 1989નો છે, જ્યારે જસવંત કોલ ઈન્ડિયા લિમિટેડમાં એન્જિનિયર તરીકે પોસ્ટેડ હતા. આ દરમિયાન પશ્ચિમ બંગાળના રાનીગંજની કોલસાની ખાણમાં પૂરના પાણી ભરાયા હતા.જેમાં 60થી વધુ બાળકો ફસાયા હતા.ઈજનેર જસવંતે તેમની ટીમ સાથે તમામ બાળકોને તેમના જીવની પરવા કર્યા વિના સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનની વાર્તાને સ્ક્રીન પર જીવંત કરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular