રેલવે ટ્રેક પર નોન-ઈન્ટરલોક કામગીરીને લીધે અમદાવાદથી ઉપડતી 3 ટ્રેનોના રૂટ્સ ડાયવર્ટ કરાયા
અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં ભોપાલ નજીક માલખેડી અને કરોડ રેલવે સ્ટેશન વચ્ચે નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદથી ઉપડતી અને આવતી ત્રણ જેટલી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. અમદાવાદથી ઉપડતી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યુ હતું કે, અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે. જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે, અમદાવાદથી ઉપડતી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર આગમન સમયે COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.
રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ તારીખ 11 નવેમ્બર તથા 13મી અને 16મી નવેમ્બરના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.જ્યારે ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ તારીખ 10, 12, 14, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ તારીખ 14 નવેમ્બર 2022ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે. ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 12, 14 અને 16 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે. ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 10, 11, 13, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડી ને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસના સમયમાં 5મી નવેમ્બરથી અમુક સ્ટેશનો વચ્ચે ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 5મી નવેમ્બરથી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ અંગે મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે વિગતો આપી હતી. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ સમયમાં ફેરફારની વિગતો આ પ્રમાણે છે . ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર રાજધાની વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વાપીથી 08.04/08.06 કલાકને બદલે 08.00/08.02 કલાકે, સુરત સ્ટેશને 09.00/09.03 કલાકને બદલે 08.55/08.58 કલાકે પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરાથી 15.50/15.55 કલાકે ને બદલે 15.53/15.56 કલાકે ઉપડશે, વાપી સ્ટેશને 18.13/18.15 કલાકે 18.81/18.48 કલાકે આવશે. અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.