1. Home
  2. ગુજરાતી
  3. ટીવી એક્ટર સિદ્ધાંત વિર સુર્યવંશીનું 46 વર્ષની વયે નિધન – વર્ક આઉટ કરતા આવ્યું હાર્ટએટેક
ટીવી એક્ટર સિદ્ધાંત વિર સુર્યવંશીનું 46 વર્ષની વયે નિધન – વર્ક આઉટ કરતા આવ્યું હાર્ટએટેક

ટીવી એક્ટર સિદ્ધાંત વિર સુર્યવંશીનું 46 વર્ષની વયે નિધન – વર્ક આઉટ કરતા આવ્યું હાર્ટએટેક

0
Social Share
  • સિદ્ધાંત સુર્યવંશીનું નિધન
  • 46 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

મુંબઈઃ- બોલિવૂડ તથા ટેલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી વર્ક આઉટ કરતા વખતે હાર્ટ એટેક આવાવની ખઘટનાઓ સામે આવી રહી છે થોડા સમય પહેલા મશહુર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમ કરતા વખતે હાર્ટ એટેક આવ્યો હતો આવી જ ઘટના બિગબોસ વિનર સિદ્ધાર્થ શુક્લ સાથે પણ બની હતી અને તેમનું નિધન થયું હતું ત્યારે હવે વધુ એક ટીવી જગતના કલાકારે દુનિયાને અલવિદા કહ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ટીવીના જાણીતા અભિનેતા 46 વર્ષિય સિદ્ધાંત વીર સૂર્યવંશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. વર્કઆઉટ દરમિયાન સિદ્ધાંતને હાર્ટ એટેક આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે ત્યાર બાદ મોત થયું હતું.

સિદ્ધાંત વીર સૂર્યવંશીનું આકસ્મિક અવસાન ટીવી જગત શોકમાં ગરકાવ થયું છે. તેઓ લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને ઘણા કલાકારો સાથે તેમના સારા સંબંધો હતા. તેમના ચાહકોમાં પણ શોકની લાગણી વ્યાપી છે.

અભિનેતાને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સિદ્ધાંતની સારવાર કરી અને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 

જો તેમના વર્કની વાત કરીએ તો તેમણે એનેક ટીવી સિયલમાં લીડ રોલમાં કામ કર્યું છે.સિદ્ધાંત ટીવીનો લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યા છે. આ દિવસોમાં તે દંગલ ચેનલ પર ટીવી શો ‘કંટ્રોલ રૂમ’માં જોવા મળી રહ્યો હતો. અગાઉ, અભિનેતાએ ઘણા હિટ શોમાં કામ કર્યું હતું. સિદ્ધાંત ‘કુસુમ’, ‘રિશ્તો મેં કટ્ટી બટ્ટી’, ‘મમતા’, ‘ઝિદ્દી દિલ’ જેવા ઘણા શોમાંકામ કરી ચૂક્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code