1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં પાણી ભરાવાને કારણે મોટી દુર્ઘટના,વરસાદના પાણીમાં ન્હાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત
દિલ્હીમાં પાણી ભરાવાને કારણે મોટી દુર્ઘટના,વરસાદના પાણીમાં ન્હાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત

દિલ્હીમાં પાણી ભરાવાને કારણે મોટી દુર્ઘટના,વરસાદના પાણીમાં ન્હાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત

0
Social Share

દિલ્હી : રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે શુક્રવારે બપોરે 3:00 વાગ્યે મુકુંદપુર ચોકમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં વરસાદના પાણીમાં ન્હાવા  ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ મુકુંદપુરમાં એક મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. તેમાં આ બાળકો ન્હાવા ગયા હતા. ડૂબતા બાળકોને બચાવવા માટે એક કોન્સ્ટેબલ પાણીમાં કૂદી પણ પડ્યો, પરંતુ ત્યાં સુધીમાં બાળકોના મોત થઈ ચૂક્યા હતા.

એસટીઓ રામ ગોપાલે જણાવ્યું કે જ્યારે અમારું પેટ્રોલિંગ યુનિટ પરત આવ્યું ત્યારે લોકોએ કહ્યું કે મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર ત્રણ બાળકો ખાડામાં ડૂબી રહ્યા છે. તેઓને બહાર કાઢીને BJRM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા. ત્રણ બાળકોની ઓળખ 13 વર્ષીય પીયૂષ, 10 વર્ષીય નિખિલ અને 13 વર્ષીય આશિષ તરીકે થઈ છે. તમામ જહાંગીર પુરીના એચ-બ્લોકના રહેવાસી હતા.

દિલ્હી સરકારે જણાવ્યું કે તમામ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ, I&FC વિભાગ, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દિલ્હી પોલીસ અને અન્ય વિભાગો પૂરને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. સંકલન સતત કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં NDRFની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRF દ્વારા અત્યાર સુધીમાં 4346 લોકો અને 179 પશુધનને બચાવવામાં આવ્યા છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારોને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ વિશે લોકોને માહિતગાર કરવા માટે સતત જાહેરાતો કરવામાં આવી રહી છે. આવી દરેક જગ્યાએ પોલીસકર્મીઓ અને સીડીવી તૈનાત કરીને સલાહ આપવામાં આવી રહી છે. લોકોને નદીના પાણીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code