
લોકો કેટલા આળસુ છે… હવે જાગ્યાં, 2000ની નોટ્સ બદલવા RBIની બહાર લાઈનો લગાવી દીધી
અમદાવાદઃ ભારતીય ચલણમાંથી 2 હજારની નોટ્સ પરત ખેચ્યા બાદ લોકોને નોટ્સ બદલવા માટે પુરતો સમય સમય અપાયો હતો. તમામ બેન્કોમાં 2000ની રદ કરેલી નોટ્સ બદલી આપવામાં આવી હતી. મહિનાઓ સુધી નોટ્સ બદલીનો સમય અપાયા બાદ પણ ઘણાબધા આળસુ લોકોએ નોટ્સ બદલી નહતી. રૂ. 2 હજારની નોટ બદલાવવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી પરંતુ જે લોકોએ આ સમયગાળામાં નોટ બદલાવી ન શક્યા હોય તેઓ આરબીઆઈમાં જઇને નોટ બદલાવી શકતા હોય સોમવારે અમદાવાદ સ્થિત આરબીઆઈ બેન્કમાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી. રાજ્યભરમાંથી લોકો 2 હજારની નોટ બદલાવવા આવ્યા હતા.
આરબીઆઈ બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂ. 2 હજારની નોટ બદલાવવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી અને જે લોકો 7 ઓક્ટોબર સુધી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શક્યા ન હોય તેમના માટે બીજા ઓપ્શનના રૂપમાં આરબીઆઈની અમદાવાદ સહિતની 19 શાખાઓમાં જઇને 2 હજાર રૂપિયાની નોટ બદલાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે અમદાવાદ સ્થિત આરબીઆઈની બેન્ક બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
રાજકોટ, સુરત, વડોદરા અને ભરૂચ સહિતના રાજ્યના અનેક શહેરોમાંથી લોકો અમદાવાદ આવ્યા હતા અને આશ્રમ રોડ પર આવેલી આરબીઆઇની શાખા ખાતે 2 હજાર રૂપિયાની નોટ બદલાવવા પહોંચ્યા હતા. નોંધનીય છેકે, 30 સપ્ટેમ્બર સુધી અન્ય બેન્કોમાં 2 હજાર રૂપિયાની નોટ બદલી આપવામાં આવતી હતી. બાદમાં આ સમયગાળો વધારવામાં આવ્યો હતો અને 7 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે લોકો 2000ની નોટ્સ બદલવા માટે આરબીઆઈ બેન્ક પર લાઈનો લગાવી દીધી હતી.