1. Home
  2. ગુજરાતી
  3. દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલને EDએ ચોથું સમન્સ મોકલ્યું
દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલને EDએ ચોથું સમન્સ મોકલ્યું

દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલને EDએ ચોથું સમન્સ મોકલ્યું

0
Social Share

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરાબ કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. અત્યાર સુધી કેજરીવાલ કોઈ સમન્સમાં હાજર થયા નથી. તેણે તેની લીગલ ટીમ તરફથી સમન્સનો જવાબ મોકલ્યો હતો. હવે EDએ નવેસરથી સમન્સ મોકલીને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર કેજરીવાલ 18, 19 અને 20 જાન્યુઆરીએ ગોવાની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી આ વખતે પણ કદાચ ED હેડક્વાર્ટર નહીં જાય. આ પહેલા કેજરીવાલની ગોવાની મુલાકાત 11 અને 12 જાન્યુઆરીએ પ્રસ્તાવિત કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની તૈયારીઓ સંબંધિત બેઠકને કારણે સૂચિત મુલાકાત રદ કરવામાં આવી હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code