1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખેડબ્રહ્માઃ અંબિકા મહીલા મંડળની મહીલાઓ દ્રારા યોગ કરાયા
ખેડબ્રહ્માઃ અંબિકા મહીલા મંડળની મહીલાઓ દ્રારા યોગ કરાયા

ખેડબ્રહ્માઃ અંબિકા મહીલા મંડળની મહીલાઓ દ્રારા યોગ કરાયા

0
Social Share

ખેડબ્રહ્મા : દરેક વ્યકિત હાલના સમયમાં પોતાનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે ખાવા પીવામાં સંયમતા રાખે કે ડાયેટ ફુડ પર રહે છે પણ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા મહીલા મંડળની બહેનો દ્રારા શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના હોલમાં આજે સામુહીક યોગ કરવામાં આવ્યા હતા.

હાલમાં ગરમીએ તેનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કયુઁ છે ત્યારે સૌ કોઈ પંખા કે એસી નીચે બેસીને ઠંડક અનુભવી રહ્યા છે. પણ ખેડબ્રહ્માના અંબિકા મહીલા મંડળની 50 જેટલી બહેનો દ્રારા આજે વહેલી સવારે સામુહીક યોગ કરીને પોતાનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે સમાજને એક મેસેજ આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર વિશ્વએ પણ ત્યારથી યોગ ને અપનાવ્યા છે તેવુ યોગ ટ્રેનર કીંજલ પેઠીયાએ જણાવ્યુ હતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code