Homeગુજરાતીવધારે ઠંડી અને ગરમી હાર્ટએટેકવાળા દર્દીઓ માટે કેમ ખતરનાક હોય છે?

વધારે ઠંડી અને ગરમી હાર્ટએટેકવાળા દર્દીઓ માટે કેમ ખતરનાક હોય છે?

હાર્ટ એટેક વાળા દર્દીઓની તબિયત ખૂબ જ નાજુક બની જાય છે. આવામાં હવામાનમાં થતા ફેરફાર, ખાસ કરીને વધારે ઠંડી અને વધારે ગરમી તેમના માટે ખતરનાક છે. જાણીએ શા માટે અને કેવી રીતે તેનાથી બચી શકાય.

ઠંડીની અસર રક્તવાહિનીઓ સાંકડી થવી: ઠંડીના વાતાવરણમાં આપણી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને હાર્ટને વધુ મહેનત કરવી પડે છે.

બ્લડ પ્રેશરમાં વધારો: ઠંડીમાં બ્લડ પ્રેશર વધી શકે છે, જે હાર્ટ પર વધુ દબાણ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

ગરમીની અસર પરસેવો અને ડિહાઇડ્રેશનઃ ભારે ગરમીમાં અતિશય પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની કમી થાય છે. ડીહાઈડ્રેશનને કારણે લોહી જાડું થઈ જાય છે અને હાર્ટને પમ્પ કરવામાં તકલીફ પડે છે.

હાઈ બ્લડ પ્રેશર: ઉનાળામાં પણ બ્લડ પ્રેશર વધી શકે છે, જે હૃદય પર દબાણ બનાવે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

શરીરનું તાપમાન: ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન વધે છે, જેના કારણે હૃદયને વધુ મહેનત કરવી પડે છે.

સંબંધિત લેખો

Most Popular