1. Home
  2. ગુજરાતી
  3. અદાણી એરપોર્ટસએ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે વૈશ્વિક રોકાણકારો પાસેથી 1 અબજ ડોલરનું ધિરાણ મેળવ્યું
અદાણી એરપોર્ટસએ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે વૈશ્વિક રોકાણકારો પાસેથી 1 અબજ ડોલરનું ધિરાણ મેળવ્યું

અદાણી એરપોર્ટસએ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે વૈશ્વિક રોકાણકારો પાસેથી 1 અબજ ડોલરનું ધિરાણ મેળવ્યું

0
Social Share

મુંબઇ, જૂન ૨૪, ૨૦૨૫: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.તેના મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માટે પ્રોજેક્ટ ધિરાણ માળખા દ્વારા 1 અબજ ડોલરનું ધિરાણ મેળવવામાં સફળ રહી છે. જુલાઈ 2029 પાકતી યુએસ ડોલર 750 મિલિયન નોટ્સ જારી કરવાનો આ ટ્રાન્ઝેક્શનમાં સમાવેશ થાય છે જેનો ઉપયોગ પુનર્ધિરાણ માટે કરવામાં આવશે. ધિરાણ માળખામાં વધારાના 250 મિલિયન ડોલર એકત્રિત કરવાની જોગવાઈ શામેલ હોવાના પરિણામે કુલ 1 અબજ ડોલરનું ધિરાણ મળે છે. આ માળખું વિકાસ, આધુનિકીકરણ અને ક્ષમતા વૃદ્ધિ માટે મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ લિ.ના  મૂડી ખર્ચ કાર્યક્રમ માટે વધારાની નાણાકીય રાહત પૂરી પાડશે.

ભારતના આ પ્રકારના પ્રથમ રોકાણ ગ્રેડ (આઇજી) એ એરપોર્ટના આંતરમાળખા ક્ષેત્રમાં ખાનગી બોન્ડ ઇશ્યુ કરવાનું રેટીંગ કર્યું છે.એપોલો-સંચાલિત ભંડોળના વડપણ મારફત આ વ્યવહાર કરવામાં આવ્યો હતો., જેમાં અગ્રણી સંસ્થાકીય રોકાણકારો અને વીમા કંપનીઓના સિન્ડિકેટની ભાગીદારી જેમાં બ્લેકરોક-સંચાલિત ભંડોળ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઉપરાંત ભારતમાં માળખાગત વિકાસની તક અને અદાણી એરપોર્ટના ઓપરેટિંગ પ્લેટફોર્મમાં વૈશ્વિક સ્તરે આત્મવિશ્વાસની ભૂમિકા શામેલ છે. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.નો  સ્થિર અસ્ક્યામતનો આધાર અને રોકડ પ્રવાહ તથા ઉત્તમ કાર્યક્ષમ સંચાલન દ્વારા સમર્થિત નોટ્સને બીબીબી-/સ્થિર રેટીંગ  પ્રાપ્ત થવાની અપેક્ષા છે.

અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ લિ.આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ, ડિજિટાઇઝેશન અને તકનીકી એકીકરણમાં સતત રોકાણો દ્વારા એરપોર્ટના માળખામાં પરિવર્તન કરવાની લાંબા ગાળાની દ્રષ્ટિ માટે પ્રતિબદ્ધ છે. આ ટ્રાન્ઝેક્શન મુંબઇ ઇન્ટરનેશનલ લિ.ના ટકાઉપણાના એજન્ડાને પણ વેગ આપવા સાથે 2029 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવાના તેના લક્ષ્યને ટેકો આપશે..

વૈશ્વિક બેંકોના બનેલા કન્સોર્ટિયમમાંથી અદાણી એરપોર્ટ્સ હોલ્ડીંગ લિ.ને જારી કરવામાં આવેલા 750 મિલિયન ડોલરના ધિરાણને અનુસરે છે. આ નવું ટ્રાન્ઝેક્શન એ વૈવિધ્યસભર વૈશ્વિક મૂડી બજારોમાં અદાણીની એક્સેસ અને ભારતના હવે પછીની પેઢીના માળખાગત પ્લેટફોર્મ પર ઉચ્ચ-ગુણવત્તાવાળા રોકાણકારોને આકર્ષિત કરવાની તેની ક્ષમતા પર બીજી મહોર છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code