1. Home
  2. revoinews
  3. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદીના પુલ પર બાંધકામ પ્રગતિમાં

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદીના પુલ પર બાંધકામ પ્રગતિમાં

0
Social Share

અમદાવાદ, 27 એપ્રિલ, 2026 – બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદીના પુલ પર બાંધકામ પ્રગતિમાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે, અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત (આશરે 118 ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવતા 36 મીટર ઊંચા પુલનું બાંધકામ સતત આગળ વધી રહ્યું છે.

480 મીટર લાંબો આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇનની બાજુમાં બનાવવામાં આવી રહ્યો છે. વ્યૂહાત્મક રીતે સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે આવેલો આ પુલ, સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 1 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 4 કિમી દૂર આવેલો છે.

આ પણ વાંચોઃ સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે

બ્રિજના તમામ આઠ (08) વર્તુળાકાર પિયર્સ, જેમનો વ્યાસ 6 થી 6.5 મીટર છે, પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમાંના ચાર (04) નદીના પટમાં, બે (02) નદીના કિનારાઓ પર (એક-એક બન્ને બાજુએ) અને બે (02) નદીના કિનારાથી બહાર સ્થિત છે. પિયર્સની ઊંચાઈ 31 થી 34 મીટર વચ્ચે છે. નદીના પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ રહે તે માટે પિયર્સનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે.

નિર્માણ એન્જિનિયરિંગ

આ પુલ 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનથી બનેલો છે, જેમાં દરેક સ્પાનનું નિર્માણ 23 સેગમેન્ટ દ્વારા સાઇટ પર જ (ઇન-સિટુ) કરવામાં આવી રહ્યું છે. તેનું નિર્માણ બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, જે ઊંડા પાણી અને નદીઓ પર લાંબા સ્પાનવાળા પુલો માટે વિશેષ તકનીક છે. આ પદ્ધતિમાં પુલની નીચે સ્કેફોલ્ડિંગ લગાવ્યા વિના, દરેક પિયર પરથી બન્ને બાજુ સંતુલન જાળવી સેગમેન્ટને ક્રમશઃ જોડીને (પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા) સ્પાન તૈયાર કરવામાં આવે છે. આ રીતે સતત અને મજબૂત બ્રિજ ડેક તૈયાર થાય છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના આતંકીને અજાણ્યા લોકોએ ઠાર માર્યો

પુલના નિર્માણ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં પાયો અને સબસ્ટ્રક્ચર સંબંધિત તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. 76 મીટરના ત્રણ સ્પાન પૂર્ણ થઈ ગયા છે, જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી, જેમ કે પિયર હેડ નિર્માણ અને સેગમેન્ટ કાસ્ટિંગ, હાલમાં પ્રગતિ પર છે.

નિર્માણ દરમિયાન નદીના પાણીનો પ્રવાહ અવિરત રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તાત્કાલિક એમ્બેન્કમેન્ટમાં હ્યુમ પાઇપ કલ્વર્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે અને સાથે જ કુદરતી ડ્રેનેજ ચેનલ જાળવી રાખવામાં આવી છે, જેથી પાણીનો સતત અને મુક્ત પ્રવાહ સુનિશ્ચિત થાય. આ પગલાં એ સુનિશ્ચિત થયું છે કે નિર્માણ પ્રવૃત્તિઓ છતાં નદીનો પ્રવાહ સતત અને અસરરહિત રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code