TMC નેતા જહાંગીર ખાન ઉર્ફે પુષ્પા નેપાળ સરહદથી ઝડપાયો
- એસટીએફ (STF)એ પકડી પાડ્યો; લૂંટફાટ, બળજબરીથી વસૂલાત અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપોનો સામનો કરી રહ્યો છે જહાંગીર ખાન
કોલકાતા, 8 જૂન 2026: TMC નેતા જહાંગીર ખાન ઉર્ફે પુષ્પા નેપાળ સરહદથી ઝડપાઈ ગયો છે. પશ્ચિમ બંગાળના ફાલતાથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઉમેદવાર જહાંગીર ખાનની રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
એસટીએફની ટીમે આજે વહેલી સવારે નેપાળ સરહદી વિસ્તારમાંથી તેની અટકાયત કરી છે. બંગાળ ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદથી જહાંગીર ખાન સતત ફરાર હતો, જેની લાંબી શોધખોળ બાદ આખરે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
આ પણ વાંચોઃ વડોદરામાં દેરાસરમાંથી 500 વર્ષ જુની મૂર્તિની ચોરીના કેસમાં ત્રણ ચોર પકડાયા
જનતા જહાંગીરની માફિયાગીરીથી પરેશાન હતી
ફાલતા વિસ્તારના સ્થાનિક નાગરિકો લાંબા સમયથી જહાંગીર ખાનની માફિયાગીરી અને આતંકથી તંગ આવી ચૂક્યા હતા. તેના પર વિસ્તારમાં લૂંટફાટ, ધાકધમકી અને વેપારીઓ પાસેથી બળજબરીથી પૈસા પડાવવા (વસૂલાત) સહિતના અનેક ગંભીર ગુનાઈત આક્ષેપો છે. બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદથી જ તે પોતાની ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો.
ચૂંટણીમાં ગેરરીતિ અને મતદાર યાદીમાં છેડછાડના આક્ષેપો
ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં એસઆઈઆર (SIR) ના સમયથી જ જહાંગીર ખાન વિરૂદ્ધ ફરિયાદોનો દોર શરૂ થઈ ગયો હતો. તેના પર બૂથ લેવલ ઓફિસર (BLO) ને ડરાવી-ધમકાવીને પોતાના પ્રભાવમાં લેવાનો અને મતદાર યાદીમાં ગેરકાયદે રીતે એવા લોકોનાં નામ ઉમેરવાનો ગંભીર આક્ષેપ હતો જેઓ આ દુનિયામાં નથી અને જેમનું અવસાન થઈ ચૂક્યું છે.


