કેન્દ્રીય મંત્રીઓ જગત પ્રકાશ નડ્ડા અને કિરેન રિજિજુ દ્વારા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર
નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા તથા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી શ્રી કિરેન રિજિજુએ આજે સોમવારે રાહુલ ગાંધીના જૂઠ અને ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન પર તેમની ચુપકીદી અંગે આકરી ટીકે કરી અને રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો કે માનનીય ગૃહ મંત્રી ગૃહમાં દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે, ભાગતા નહીં!
સંસદીય કાર્ય મંત્રી શ્રી કિરેન રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે વિદ્યાર્થી આંદોલનને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સંસદમાં નિવેદન આપવું જોઈએ. સરકારે બહુ સ્પષ્ટ કહ્યું છે કે માત્ર નિવેદન જ નહીં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ આખી ડિબેટ અને ડિસ્કશનનો જવાબ પણ આપશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ માંગ કરી રહ્યા હતા કે ગૃહ મંત્રીજી ગૃહમાં જવાબ આપે, હવે જ્યારે ગૃહ મંત્રીજી જવાબ આપશે, ત્યારે ડરતા નહીં અને ભાગતા નહીં.
રાહુલ ગાંધી ચર્ચાથી કેમ ભાગી રહ્યા છે
સંસદીય કાર્યમંત્રીએ પ્રશ્ન કર્યો કે, ગૃહ મંત્રી દરેક વાતનો જવાબ આપવા માટે તૈયાર છે તો રાહુલ ગાંધી ચર્ચાથી કેમ ભાગી રહ્યા છે. બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં પણ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે વિદ્યાર્થી આંદોલનને લઈને સરકાર પૂરી રીતે ફૂલ-ફ્લેજ ડિસ્કશન માટે તૈયાર છે અને એક-એક પોઈન્ટનો જવાબ આપવા માટે તૈયાર છે. વિપક્ષે હંગામો કરીને ગૃહની કાર્યવાહીને ડિસ્ટર્બ કરવી જોઈએ નહીં. સરકારે પોતાની ઓફર આપી દીધી છે. હવે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષી દળો વચ્ચે કેટલાક મતભેદો છે. તેઓ આપસમાં પોતાના મતભેદો ઉકેલી લે. સરકાર વિદ્યાર્થીઓનો મામલો હોવાના કારણે ચર્ચા માટે પૂરી રીતે તૈયાર છે.
રાહુલ ગાંધી સંસદને ખોરવી રહ્યા છે
સાંજે મીડિયાને સંબોધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધી સંસદને ખોરવી રહ્યા છે અને દેશના નેરેટિવમાં દરરોજ પોતાનો ગોલપોસ્ટ બદલી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય સંવાદ કરવાનો નથી, પરંતુ અરાજકતા ફેલાવવાનો છે. પહેલાં રાહુલ ગાંધીએ સંસદ શરૂ થતી વખતે નીટ (NEET) પર ચર્ચા માંગ કરી, જ્યારે સરકાર નીટ પર ચર્ચા માટે તૈયાર થઈ, તો તેઓ રામ મંદિર ન્યાસનો વિષય લઈને આવ્યા. ત્યારબાદ પછી કેન્દ્રીય ગૃહ મંત્રી જંતર-મંતરના ઘટનાક્રમ પર નિવેદન આપે, એ વાત પર અડેલા રહ્યા. જોવામાં આવે તો તેમનો કોઈ પણ ઈરાદો હાઉસને ચાલવા દેવાનો નથી.
રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે ગૃહ ચાલે અને એટલા માટે છેલ્લા 15 દિવસથી તેઓ હાઉસને, ગૃહને ખોરવી રહ્યા છે. ખોરવવાની સાથે સાથે તેઓ એ વાતનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે જંતર-મંતરના વિષય પર ચર્ચા થાય. આજે જ્યારે આ વાત પર ચર્ચા થઈને નક્કી થયું કે જંતર-મંતરના વિષય પર ચર્ચા થશે, તો રાહુલ ગાંધી હવે લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને દેશને ગુમરાહ કરી રહ્યા છે કે સંસદમાં જંતર-મંતરમાં ગોળી ચાલી, જ્યારે ત્યાં કોઈ ગોળી ચાલી નથી.
રાહુલ ગાંધીએ ગોલપોસ્ટ બદલે છે
શ્રી નડ્ડાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી દરેક વાતનો જવાબ આપવા માટે તૈયાર છે. આજથી નહીં, શરૂઆતથી જ અમારું એક જ કહેવું હતું કે ગૃહને ચાલવા દો. ગૃહ ચાલશે, તો અમે દરેક વિષય પર તમને જવાબ આપવા માટે તૈયાર છીએ અને અમે હંમેશાં જવાબ આપતા રહ્યા છીએ. અમારો ઈતિહાસ આ વાતનો સાક્ષી છે. કોંગ્રેસે એસઆઈઆર (SIR) પર ચર્ચા માંગી હતી, ખૂબ ચર્ચા થઈ અને ચર્ચા સમયે જ્યારે અમે જવાબ આપવા પર આવ્યા, તો કોંગ્રેસ ચર્ચાથી ભાગી છૂટી.
વિપક્ષે મોંઘવારી પર ચર્ચા માંગી હતી, અમે તેના પર ચર્ચા કરી. જ્યારે સરકાર જવાબ આપી રહી હતી, ત્યારે કોંગ્રેસમાં હિંમત પણ નહોતી કે તે ગૃહમાં બેસે. આ એમનો ઈતિહાસ છે, આ એમનો રેકોર્ડ છે. એટલા માટે કોઈ પણ વિષય હોય, જે વિષય પર પણ કોંગ્રેસે પોલિટિકલ વિષય પર ચર્ચા માંગી છે, અમે તેમને હંમેશાં ચર્ચા માટે આમંત્રિત કર્યા છે અને કહ્યું છે કે અમે તૈયાર છીએ અને ચર્ચા કરીશું. હું અહીં એ પણ કહેવા માંગુ છું કે આજે જેમ રાહુલ ગાંધીએ ગોલપોસ્ટ બદલ્યો છે, તેઓ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહી દીધું છે કે હવે દરેક વાતનો જવાબ આપવા માટે તૈયાર છે, તો પછી તેઓ ચર્ચાથી કેમ ભાગી રહ્યા છે?
જંતર મંતર આંદોલનકારીઓ પર કોઈ ગોળી ચાલી નથી
શ્રી નડ્ડાએ કહ્યું કે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી ચર્ચાથી ભાગતા નહીં, અમે તૈયાર છીએ. ગૃહની અંદર અમે દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ, તમે ભાગતા નહીં! આજે રાહુલ ગાંધીને ઝારખંડમાં વિદ્યાર્થીઓનો અવાજ સંભળાઈ રહ્યો નથી કે શું? રાહુલ ગાંધીના ઈશારા પર ત્યાં કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. તેમના ઈશારા પર જે યુતિ સરકારમાં સામેલ છે, તેઓ સરકાર ત્યાં ચલાવી રહ્યા છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધીનાં બેવડાં ધોરણ
શું તેમને વિદ્યાર્થીઓનો અવાજ ત્યાં સંભળાઈ રહ્યો નથી? જે પ્રકારના ડબલ સ્ટાન્ડર્ડ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી અપનાવે છે, આ લોકો દેશના ભવિષ્ય અને દેશના યોગ્ય રીતે આગળ ન વધવા માટે અરાજકતા ઊભી કરવાનું, નકારાત્મક રાજકારણ લાવવાનું, ગેરજવાબદાર યોગદાન આપવાનું અને ગેરજવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવવાનું કામ કરે છે. અમે આની તીવ્ર ટીકા કરીએ છીએ અને ફરીથી રાહુલ ગાંધીને ચેલેન્જ આપીએ છીએ કે તેઓ ગૃહમાં આવે. અમે ચર્ચા માટે તૈયાર છીએ અને તેમને રોકડિયો જવાબ આપવામાં આવશે. ભ્રમ ન ફેલાવો, જંતર-મંતરમાં કોઈ ગોળી ચાલી નથી અને જંતર-મંતરમાં કોઈ ગોળી ચલાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો નથી.


