1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમાલપુરના લાઠી બજારના ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી
જમાલપુરના લાઠી બજારના ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

જમાલપુરના લાઠી બજારના ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

0
Social Share

અમદાવાદઃ શહેરના જમાલપુર સ્થિત લાઠી બજારમાં પ્લાયવુડ એન્ડ ટીમ્બર માર્ટના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ ભીષણ આગની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે, સદનસીબે આગની આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ભીષણ આગને પગલે આસપાસના ગોડાઉનના સંચાલકોમાં પણ ભય ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર લાઠી બજારમાં એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં કાપડ, પ્લાયવુડ અને લાકડુ સહિતની વસ્તુઓ પડી હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતની ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે, આગ એટલી બધી વિકરાટ હતી કે અન્ય ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગના 20થી વધુ વાહન દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોતરાયા હતા. ગજરાજ 10,ટેન્કર 1,મિની ફાઇટર 1,RIV 4 વાહનો આગ બુઝવવાની કામગીરીમાં કામે લાગ્યા હતા.ફાયરના કુલ 55 ફાયર ફાયટરનો સ્ટાફ આગ પર કાબૂ મેળવવામાં લાગ્યો હતો.

ફાયરબ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ગોડાઉનમાં આગ કેવી રીતે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. ફાયરબ્રિગેડ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code