1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વિશાલા સર્કલ નજીક રમકડાનાં ગોદામમાં લાગી આગ, ફાયરના 3 જવાનો દાઝી ગયા
અમદાવાદમાં વિશાલા સર્કલ નજીક રમકડાનાં ગોદામમાં લાગી આગ, ફાયરના 3 જવાનો દાઝી ગયા

અમદાવાદમાં વિશાલા સર્કલ નજીક રમકડાનાં ગોદામમાં લાગી આગ, ફાયરના 3 જવાનો દાઝી ગયા

0
Social Share

અમદાવાદઃ શહેરમાં આગના બનાવો વધતા જાય છે. જેમાં આગ લાગવાનો વધુ એક બનાવ સરખેજ વિસ્તારમાં વિશાલા સર્કલ નજીક રમકડાના ગોદામમાં બન્યો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. દરમિયાન રમકડાંમાં બેટરીને લીધે બ્લાસ્ટ થતાં ફાયરના ત્રણ જવાનો દાઝી ગયા હતા. ગોડાઉનમાં આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે આસપાસ સુધી ન ફેલાય તેને ધ્યાનમાં રાખી અને બાજુમાં આવેલ અલગ અલગ દુકાનો અને ગોડાઉનને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બે જેટલા લોકોને સીડી વડે ધાબા ઉપરથી નીચે રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરખેજ વિસ્તારમાં વિશાલા સર્કલ પાસે આવેલી બરફની ફેક્ટરીની બાજુમાં રમકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગના બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની 10થી વધુ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. ગોડાઉનની આસપાસ જેટલી પણ અન્ય દુકાનો કે ગોડાઉન આવેલાં છે તેને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. રમકડાનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. ફાયર ઓફિસર સહિત બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. ગોડાઉનમાં વિવિધ પ્રકારનાં રમકડાઓ અને સાધનો પડ્યાં હતાં. જેમાં બેટરીથી ચાલતાં પણ કેટલાંક રમકડાઓ હતાં. તેમાં આગના કારણે એક-બે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેથી ત્રણ જેટલા ફાયર કર્મચારીઓ ઉપર બેટરીનું પાણી ઊડ્યું હતું જેથી તેઓ દાઝી ગયા હતા. ત્રણેય ફાયર કર્મીને તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

રમકડાંના ગોડાઉનમાં આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે આસપાસ સુધી ન ફેલાય તેને ધ્યાનમાં રાખી અને બાજુમાં આવેલી અલગ અલગ દુકાનો અને ગોડાઉનને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બે જેટલા લોકોને સીડી વડે ધાબા ઉપરથી નીચે રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ  કાબૂમાં આવી ગઈ હતી. ગોડાઉનમાં જે પણ માલસામાન બળીને ખાક થયો છે તેમાં કૂલિંગ કરવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. ફાયરબ્રિગેડના જવાનો સિવાય અન્ય કોઈ વ્યક્તિઓને ઈજા થઈ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code