1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમનાથ-રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રિકેશનનું કામ પૂર્ણ થતાં જ 16 જેટલી ઈલેક્ટ્રીક ટ્રેનો દોડશે
સોમનાથ-રાજકોટ વચ્ચે  ઈલેક્ટ્રિકેશનનું કામ પૂર્ણ થતાં જ 16 જેટલી  ઈલેક્ટ્રીક ટ્રેનો દોડશે

સોમનાથ-રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રિકેશનનું કામ પૂર્ણ થતાં જ 16 જેટલી ઈલેક્ટ્રીક ટ્રેનો દોડશે

0
Social Share

રાજકોટઃ સોમનાથ-રાજકોટ વચ્ચે રેલવે લાઈન પર ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ કામ પૂર્ણ તયા બાદ રાજકોટ સોમનાથ વચ્ચે 16 જેટલી ટ્રેનોમાં ઈલેક્ટ્રિક એન્જિન જોડવામાં આવશે. તેથી ટ્રેનોની ઝડપમાં પણ વધારો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ- સોમનાથ વચ્ચે હાલ ડિઝલ સંચાલીત ટ્રેન દોડી રહી છે. જે આગામી દિવસોમાં ભુતકાળ બની જશે. કારણ કે આ આખી લાઈનનું ઈલેક્ટ્રીકેશન થઈ જશે. જેમની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. આ અંગેની મળતી વિગત મુજબ રાજકોટ- સોમનાથ વચ્ચે લગભગ 16 જેટલી ટ્રેન દોડી રહી છે. અને રાજકોટ તેમજ સોમનાથ જતા લોકો આસાનીથી અવરજવર કરી રહ્યાં છે. જો કે, હવે આ ટ્રેન ઈલેક્ટ્રિક થવા જઈ રહી છે. જ્યારે રાજકોટથી સોમનાથ વચ્ચે રેલવે ટ્રેકની પાસે જ પોલ ઉભા કરવામાં આવ્યા છે. વડાલ ગામ સુધી વાઈરીંગની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. અને લગભગ 2023માં આ ટ્રેન પાટા પર દોડતી હશે. આ ટ્રેનનાં કોચ નહીં બદલે કારણ કે એ તો રેલવે દ્વારા અપડેટ થતા જ હોય છે. માત્ર એન્જીન જ બદલવામાં આવશે. તેમજ આ ટ્રેનથી પર્યાવરણને પણ ફાયદો થશે.

આ અંગે વધુ વિગતો આપતા સ્ટેશન માસ્તરે કહ્યું હતું કે, સોમનાથમાં તો નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે. અન્ય સ્ટેશનમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં. અને વર્તમાન ટ્રેન જે જગ્યા પર સ્ટોપ થઈ રહી છે. એ મુજબ જ ઈલેક્ટ્રીક ટ્રેન પણ સ્ટોપ કરશે. હાલ રાજકોટ- સોમનાથ વચ્ચે દોડતી ટ્રેનમાં મુસાફરીના જે દર છે એ દરમાં પણ હાલ સ્થિતિ મુજબ જ કોઈ જ વધારો કરવામાં આવશે નહીં. ઈલેક્ટ્રીક ટ્રેન શરૂ થતા જ તેમની સ્પીડ વધે એ પણ સ્વાભાવીક છે. જેથી મુસાફર વર્તમાન ટ્રેનમાં અવરજવર કરે છે. તેમના સમય કરતા ઘણા ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code