1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાન:ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 હજાર પર પહોંચી, 1500 ઘાયલ 
અફઘાનિસ્તાન:ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 હજાર પર પહોંચી, 1500 ઘાયલ 

અફઘાનિસ્તાન:ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 હજાર પર પહોંચી, 1500 ઘાયલ 

0
  • અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી
  • અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત
  • 1500 થી વધુ લોકો થયા ઘાયલ  

દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે.6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ચારે બાજુ માત્ર વિનાશ અને વિનાશ જ જોવા મળ્યો.અફઘાન અધિકારીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે.આ આંકડો સતત વધી રહ્યો છે. તે જ સમયે, 1500 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે સેંકડો મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા છે.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દૂર હતું અને તે 51 કિમીની ઊંડાઈએ હતું. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે પાડોશી દેશ પાકિસ્તાનના લાહોર, મુલતાન, ક્વેટામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા હતા. આ સિવાય ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.

આ પહેલા મંગળવારે રાત્રે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અહીં રાત્રે  2.24 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાહતની વાત એ છે કે પાકિસ્તાનમાં આવેલા ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.આ સિવાય મલેશિયામાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અહીં ભૂકંપની તીવ્રતા 5.1 હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code