1. Home
  2. ગુજરાતી
  3. સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠીયાવાડી’ની રિલીઝ ડેટ આવી સામે – ગંગૂબાઈના રોલમાં આલીયા ભટ્ટનો અનોખો અંદાજ
સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠીયાવાડી’ની રિલીઝ ડેટ આવી સામે – ગંગૂબાઈના રોલમાં આલીયા ભટ્ટનો  અનોખો અંદાજ

સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠીયાવાડી’ની રિલીઝ ડેટ આવી સામે – ગંગૂબાઈના રોલમાં આલીયા ભટ્ટનો અનોખો અંદાજ

0
Social Share
  • ગંગૂબાઈ કાઠીવાડી ફિલ્મની રિલીઝ ડેટ
  • જુલાઈની 20 તારીખે સિનેમા ઘરોમાં ગંગૂબાઈ જોવા મળશે
  • આલિયા ભટ્ટ આ ફિલ્મમા નવા અવતારમાં આવશે

દિલ્હી – આજે સિનેમા જગતનું મોટૂ નામ ગણાતા અનેક સુપરહિટ ફિલ્મોના દાતા એવા સંજયલીલા ભણસાલીનો જન્મ દિવસ છે, ત્યારે આ ખાસ પ્રસંગે તેમણે તેમના ચાહકોને એક સામા સમાચાર આપ્યા છે, તેમની અપકમિંગ ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠીયાવાડી’ની રિલીઝ ડેટ જાહેર કરી  દીધી છે,આ ફિલ્મમાં ગંગૂબાઈના રોલમાં આલીયા ભટ્ટ એક નવા રંગ રુપમાં દર્શકોને જોવા મળશે જે જુલાઈ મહિનાની 30 તારિખે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના નવા લુક રિલીઝ કરતી વખતે આલિયા ભટ્ટે લખ્યું,’ ગંગુબાઈ કાઠિયાવાડી 20 જુલાઈ, 2021 થી સિનેમાઘરોમાં. ‘ આ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું છે. તે આ ફિલ્મના નિર્માતા પણ છે અને તેમની સાથે જયંતિલાલ ગડા પણ ફિલ્મના પ્રોડ્યૂસર છે.

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું લગભગ તમામ કામ અંતિમ તબક્કામાં જોવા મળે છે, પઆ પહેલા કહવામાં આવ્યું હતુ કે,  ભણસાલી આ ફિલ્મને સલમાન ખાનની ‘રાધેય: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની સામે ટક્કરમાં રિલીઝ છે. જોકે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભણસાલીની ફિલ્મ સલમાન ખાનની ફિલ્મના બે મહિના પછી જ રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મની કહાનિ મુંબઈમાં એક કોઠો ચલાવનારી દિલદાર મહિલાની છે જેની મુંબઇના તત્કાલીન ડોન કરીમ લાલા સુધી પહોંચ હતી. આ વાર્તા ગુજરાતની એક ભોલીભાલી યુવતીની છે, જ્યાં સુધી તે ગંગુબાઈ કાઠિયાવાડી ન બની ત્યા સુધીની કહાનિ છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં ગંગૂબાઈનું પાત્ર ભજવી રહી છે.

ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ માં અજય દેવગન કરીમ લાલાનું મહત્વનું પાત્ર ભજવશે. ડોન કરીમ લાલાને તેના ભાઈને ગંગૂબાઈ કાઠિયાવાડીએ બાંધી દીધા હતા અને તેનો ભાઈ બનાવ્યો હતો. અજય દેવગણે કરીમ લાલાની આ વિશાળ ભૂમિકા નિભાવવા માટે ભણસાલીને ફક્ત 10 દિવસનો સમય આપ્યો હતો. આલિયા ભટ્ટ ફિલ્મના શૂટિંગ બાદ તેના મિત્રો સાથે માલદીવની રજા પર ગઈ હતી, પરંતુ અભિનેતા રાજીવ કપૂરના નિધન બાદ તે તેના મિત્ર રણબીર કપૂરની સાથે પરત ફરી છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code