1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના નાન રણમાં મીઠું પકવતા અગરિયાઓ તંત્રના વાંકે પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે
કચ્છના નાન રણમાં મીઠું પકવતા અગરિયાઓ તંત્રના વાંકે પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે

કચ્છના નાન રણમાં મીઠું પકવતા અગરિયાઓ તંત્રના વાંકે પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે

0
Social Share

સુરેન્દ્રનગરઃ સરકારી તંત્રના વાંકે કચ્છના નાના રણમાં અગરિયાઓ અને તેના પરિવારો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને આકરા ઉનાળાની 45 ડીગ્રી આગ ઓકતી ગરમીમાં 20 દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે. સોફ્ટવેરની ખામીના કારણે રણમાં પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને બિલ ન ચૂકવાતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવતા અગરિયા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં 5000 ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી કરીને સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને ટેન્કર મારફતે 20 દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા 98 ટકા અગરિયાઓ ચામડીના રોગથી પીડાય છે. વધુમાં રણમાં ગરીબ અગરિયા પરિવારો પાસે 20 દિવસે એક વખત મળતા પીવાના પાણીના સંગ્રહની કોઇ વ્યવસ્થા ન હોવાથી એમને ખાટલામાં પ્લાસ્ટિક બાંધી પીવાના પાણીનો સંગ્રહ કરવો પડે છે એ પણ નરી વાસ્તવિકતા છે. બીજી બાજુ વેરાન રણમાં દર વર્ષે શિયાળામાં 5 ડીગ્રી અને આકરા ઉનાળામાં ગરમીનો પારો 50 ડીગ્રી સુધી પહોંચી જાય છે. આથી રણમાંથી ઘરે આવતા સમયે રણનો અગરિયો ચાર મહિના પીવાનું પાણી જમીનમાં દાટીને ઘેર આવે છે. જેથી એને નવી સીઝનમાં મીઠું પકવવા જાય ત્યારે પીવાના પાણીની તકલીફ ના પડે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં 5000 ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને માત્ર ત્રણથી ચાર ટેન્કરો પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. રણમાં 46 ડીગ્રીની કાળઝાળ ગરમીમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. આ અંગે રણમાં પાણીના ટેન્કર ચલાવતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અમને હજી ગયા વર્ષના બે બિલના નાણા ચુકવાયા નથી અને આ વર્ષે નવુ સોફ્ટવેર આવતા બિલની જૂના સોફ્ટવેરમાં એન્ટ્રી કરી હતી. એ ફરી નવા સોફ્ટવેરમાં કરાવવાનું જણાવાયું હતુ. પરંત નવુ સોફ્ટવેર ચાલુ ન થતાં એન્ટ્રી થઇ ન શકતા હજી અમને પેમેન્ટ ન ચૂકવતા હવે અમે રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી પુરૂ પાડી શકવા અસમર્થ છીએ. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code