વડોદરામાં લવજેહાદની વધુ એક ઘટનાઃ વિધર્મીય યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું શારીરિક શોષણ
- સગીરાનું અપહરણ કરીને બિહાર ગઈ ગયો હતો
- બે વર્ષથી આરોપી પીડિતાનું કરતો હતો શોષણ
- આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનોની માંગણી
- પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ આરંભી
અમદાવાદઃ ગુજરાતમાં લેવજેહાદની ઘટના અટકાવવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં વડોદરાની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ યુવાને લગ્ન કર્યા હોવાની ઘટના બની હતી. હવે ફરી એકવાર વડોદરામાં લવ-જેહાદની શ્રઘટના સામે આવી છે. મુસ્લિમ યુવાને 15 વર્ષિય હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી શારિરીક શોષણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ સતત 23 મહિના સુધી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. અમાનતુલ્લાહ નામના યુવાને સગીરાનું અપહરણ કર્યું હતું. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તેમજ પોલીસે આરોપીને ઝડપી લઈને સગીરાને મુક્ત કરાવી હતી. આ બનાવની જાણ થતા હિન્દુ સંગઠનોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત હિન્દૂ સંગઠનોએ સગીરાનું કાઉન્સિલિંગ કરી પરિવારજનોને સોંપી હતી.
આરોપી અમાનતે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અમાનતે તેને ત્રણ મહિના અગાઉ લગ્નની લાલચ આપી હતી. આરોપી સગીરાનું અપહરણ કરીને મૂળ વતન બિહાર ભાગી ગયો હતો. જેથી ગુજરાત પોલીસે આરોપીની ઘરપકડ કરવા માટે બિહાર પોલીસની મદદ લીધી હતી.