નવી દિલ્હી: મલેશિયાના સુલતાન અબ્દુલ્લા અહમદ શાહે આજે મલેશિયાના વિપક્ષી નેતા અનવર ઈબ્રાહિમની દેશના દસમા વડાપ્રધાન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. સુલતાનની આ જાહેરાતની સાથે જ દેશમાં ખંડિત જનાદેશ સાથેની સામાન્ય ચૂંટણી બાદ કેટલાય દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો પણ અંત આવ્યો છે.
સાંજે 5 વાગ્યે વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ
સુલતાનના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 5 વાગ્યે થશે. ઉલ્લેખનીય છે કે, શનિવારની સામાન્ય ચૂંટણીનું પરિણામ અભૂતપૂર્વ ત્રિશંકુ સંસદમાં પરિણમ્યું, જેમાં બે મુખ્ય ગઠબંધનમાંથી કોઈ પણ નહોતું. એક જૂથનું નેતૃત્વ અનવર દ્વારા કરવામાં આવ્યું હતું અને બીજા જૂથનું નેતૃત્વ ભૂતપૂર્વ વડા પ્રધાન મુહિદ્દીન યાસીન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમની પાસે તત્કાલ સરકાર બનાવવા માટે સંસદમાં જરૂરી સંખ્યામાં બેઠકો મેળવવી અઘરી હતી.
કેદીથી પીએમ સુધીની સફર
ઘણી લાંબી અને અઘરી સફર ખેડીને અનવર આજે આ જગ્યાએ પહોંચ્યાં છે. અનવરે વિપક્ષી નેતા તરીકે નાયબ વડા પ્રધાનથી લઈને સોડોમીના દોષિત કેદી સુધીની ત્રણ દાયકાની લાંબી સફર પાર કરી છે. 75 વર્ષીય અનવર એક સુધારાવાદી નેતા તરીકે જાણીતા અનવરને વડાપ્રધાન પદથી દૂર રાખવામાં આવ્યા હતા. . તેઓ 1990 ના દાયકામાં નાયબ વડા પ્રધાન હતા અને 2018 માં સત્તાવાર વડા પ્રધાન-ઇન-વેઇટિંગ હતા. આ જ સમયમાં તેમણે સોડોમી અને ભ્રષ્ટાચાર માટે એક દાયકૉ જેલમાં પણ વીતાવ્યો હતો. જો કે, આ ઘટનાને તેઓ રાજકીય રીતે પ્રેરિત ગણાવે છે.
અનવરના ગઠબંધનને મળી સૌથી વધુ બેઠકો
મલેશિયાની સામાન્ય ચૂંટણીમાં અનવરની આગેવાની હેઠળના પાકતન હરપન (ઉમ્મીદોનું ગઠબંધન) ગઠબંધને સૌથી વધુ 82 બેઠકો જીતી હતી. જો કે, આ ગઠબંધનને સરકાર બનાવવા માટે 112 સીટોની જરૂર હતી, તેના કરતાં તો તે ઘણું પાછળ હતું. તે જ સમયે , ભૂતપૂર્વ વડા પ્રધાન મુહિદ્દીનના મલય-કેન્દ્રિત પેરીકટન નેશનલ (રાષ્ટ્રીય ગઠબંધન) એ 73 બેઠકો જીતી હતી. આ ગઠબંધનમાં પાન-મલેશિયન ઈસ્લામિક પાર્ટીએ સૌથી વધુ 49 બેઠકો જીતી હતી. પણ જેવો જ નાના પક્ષોએ અનવરને સાથ આપવાનો નિર્ણય કર્યો, ને તરત જ તેમની માટે પીએમ બનવાનો રસ્તો સાફ થઈ ગયો.
(ફોટો: ફાઈલ)