Site icon Revoi.in

અમદાવાદ પ્લેનક્રેશમાં 60 જેટલા વિદેશી પ્રવાસી, 169 ભારતીય મુસાફર

Social Share

ગાંધીનગરઃ અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ક્રેશ થયાની ઘટનામાં હજુ સુધી જાનહાનીની કોઈ વિગતો સામે આવી નથી. બીજી તરફ ફાયરબ્રિગેડ સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પ્રવાસીઓની યાદી જાહેર થઈ છે. જેમાં 60 જેટલા વિદેશી મુસાફરો હતા. જ્યારે 169 જેટલા ભારતીય પ્રવાસીઓ હતા.
દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં બ્રિટનના 53, કેનેડાના એક અને પોટુગલના 6 જેટલા મુસાફરો હતા. જ્યારે 169 જેટલા ભારતીય પ્રવાસીઓ હતા. આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પ્રવાસ કરતા હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. વિજયભાઈ રૂપાણીની દીકરી લંડનમાં વસવાટ કરી રહ્યાં છે.