1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યાઃ રામ મંદિર નિર્માણએ પકડી રફતાર,1 જૂનથી ગર્ભગૃહ બનાવવાનું શરૂ થશે
અયોધ્યાઃ રામ મંદિર નિર્માણએ પકડી રફતાર,1 જૂનથી ગર્ભગૃહ બનાવવાનું શરૂ થશે

અયોધ્યાઃ રામ મંદિર નિર્માણએ પકડી રફતાર,1 જૂનથી ગર્ભગૃહ બનાવવાનું શરૂ થશે

0
Social Share
  •  રામ ભક્તો માટે સારા સમાચાર
  • રામ મંદિર નિર્માણમાં ઝડપ
  • 1 જૂનથી ગર્ભગૃહ શરૂ થશે

લખનઉ:ઉત્તર પ્રદેશની રામ નગરી અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 1 જૂનથી રામલલાના ઘર (ગર્ભગૃહ)નું નિર્માણ કાર્ય શરૂ થશે.શ્રી રામ મંદિર નિર્માણ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.આ મુજબ, શ્રીરામ જન્મભૂમિ પર વિરાજમાન રામલલાના ઘર, જ્યાં તેમનો જન્મ થયો હતો,જેને ગર્ભગૃહ કહેવામાં આવે છે.

અહેવાલ મુજબ, 1 જૂનના રોજ ગર્ભગૃહનું નિર્માણ શરૂ કરવું દેશ અને વિશ્વના ભક્તો માટે એક સારા સમાચાર છે. આ સાથે જ મંદિર નિર્માણ માટે રામ ભક્તોની પાંચસો વર્ષની રાહનો અંત આવી રહ્યો છે. રામલલાના ગર્ભગૃહનું નિર્માણ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષના બીજા દિવસે (1 જૂને) મૃગાશિરા નક્ષત્ર અને આનંદ યોગના શુભ મુહૂર્તમાં ધાર્મિક વિધિઓ અને પૂજા સાથે શરૂ થશે. રામ લલાની પૂજા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગર્ભગૃહનો પહેલો શિલારોપણ કરે તેવી શક્યતા છે.રામ મંદિરના ટ્રસ્ટીઓ સહિત સંતો અને ધર્માચાર્યો પણ આ પ્રસંગના સાક્ષી બનશે.

5 ઓગસ્ટ, 2020 ના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. હવે મુખ્યમંત્રી યોગીને રામલલાના ગર્ભગૃહનું નિર્માણ શરૂ કરવાનો લહાવો મળશે.11 વૈદિક આચાર્યો દ્વારા અનુષ્ઠાન અને પૂજા બાદ બાંધકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી પૂજા પ્રક્રિયા બે કલાક સુધી ચાલશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code