1. Home
  2. ગુજરાતી
  3. બાબા વેંગાની ભારતને લઈને ડરામણી ભવિષ્યવાણી,સાચી પડી તો થશે તબાહી!
બાબા વેંગાની ભારતને લઈને ડરામણી ભવિષ્યવાણી,સાચી પડી તો થશે તબાહી!

બાબા વેંગાની ભારતને લઈને ડરામણી ભવિષ્યવાણી,સાચી પડી તો થશે તબાહી!

0
Social Share

દિલ્હી:વિશ્વના મશહૂર ભવિષ્યવક્તાઓમાં સામેલ એવા બલ્ગેરિયાના બાબા વેંગાની ભવિષ્યવાણી લોકોને ડરાવી રહી છે.બાબા વેંગાએ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી.જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો પૃથ્વી પર આપત્તિ આવી શકે છે.બલ્ગેરિયાના અંધ બાબા વેંગાને બાલ્કન પ્રદેશનો નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે.બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી.

તાજેતરમાં, તુર્કી અને સીરિયામાં ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એશિયામાં પણ આવો જ ભૂકંપ આવી શકે છે.ભારતને લઈને પણ મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. બાબા વેંગાએ આની આગાહી કરી છે.બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.તેમણે વર્ષ 2023 માટે ભારતની આગાહી કરી હતી.જો આ વાત સાચી ઠરશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

નેધરલેન્ડના સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે તુર્કી અને સીરિયાની આસપાસના વિસ્તારોમાં ભૂકંપની આગાહી કરી હતી જે સાચી સાબિત થઈ છે.બાબા વેંગાએ પણ કુદરતી આફતોની આગાહી કરી હતી.બાબા વેંગાએ વર્ષ 2023માં પણ ઘણી ભયાનક કુદરતી આફતો આવવાની આગાહી કરી હતી.

ફ્રેન્ક હૂગરબીટ્સ ભારત વિશે આગાહી કરે છે.તેમનું કહેવું છે કે ભારત-અફઘાનિસ્તાન-પાકિસ્તાને પણ મોટા ભૂકંપનો સામનો કરવો પડી શકે છે.બાબા વેંગાએ ભારત સહિત ઘણા એશિયાઈ દેશો વિશે પણ આવી ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે કોઈ એશિયાઈ દેશમાં પરમાણુ વિસ્ફોટ થશે. જેના કારણે ભારતમાં મોટું નુકસાન થઈ શકે છે. બાબા વેંગાની આગાહી અનુસાર, એક ભૂસ્તરશાસ્ત્રીય ઘટના બનશે, જેના કારણે પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે. આ ઘટનાને કારણે લાખો લોકોના મોત થશે.

તેમણે દાવો કર્યો હતો કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફારને કારણે ભયંકર ભૂકંપ આવશે. હવે એવી ચિંતા છે કે આ ભૂકંપ ક્યાં દેશમાં આવશે.બાબા વેંગાએ કહ્યું કે વર્ષ 2023માં સૌલર સુનામી પણ આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code