1. Home
  2. ગુજરાતી
  3. આ કારણે મોહસિન ખાને યે રિશ્તા ક્યાં કહેલાતા હે શો છોડ્યો
આ કારણે મોહસિન ખાને યે રિશ્તા ક્યાં કહેલાતા હે શો છોડ્યો

આ કારણે મોહસિન ખાને યે રિશ્તા ક્યાં કહેલાતા હે શો છોડ્યો

0
Social Share
  • OTT પર હાથ અજમાવવા માંગે છે મોહસિન
  • એક્ટર નવા શો નો બનશે ભાગ

મુંબઈ : ટીવીના લોકપ્રિય પાત્ર કાર્તિક ઉર્ફે મોહસિન ખાનને કોણ નથી જાણતું? તેણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મહત્વની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ પર રાજ કર્યું છે. હાલમાં જ તેણે આ શો છોડી દીધો છે. આ દરમિયાન અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. મોહસિન ખાન પાસે ઘણા પ્રોજેક્ટ છે જેના પર તે કામ કરતો જોવા મળશે.

સુત્રોના કહેવા મુજબ,મોહસિન ખાન લાંબા સમયથી કાર્તિકની ભૂમિકા ભજવી રહ્યો હતો.એવામાં, અભિનેતાને લાગવા લાગ્યું કે,તેમના પાસે રોલ્સ ઘણા લિમિટેડ થઇ જશે,જેના કારણે તેણે શો છોડવાનું યોગ્ય માન્યું.મોહસિન માટે શો છોડવાનો આ યોગ્ય સમય હતો. મોહસિને છેલ્લા છ-આઠ મહિનાથી ઘણા નિર્માતાઓનો સંપર્ક કર્યો છે.

મોહસિન ખાને રાજન શાહીનો સંપર્ક કર્યો હતો. રાજન શાહી એક ફેમિલી શો લઈને આવી રહ્યા છે, જેમાં મોહસિન લીડ રોલમાં જોવા મળી શકે છે. જો કે, વસ્તુઓ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ સિવાય મોહસિન ઘણા OTT પ્લેટફોર્મ પ્રોજેક્ટ્સમાં પણ કામ કરતો જોવા મળશે. સૂત્રએ જણાવ્યું હતું કે, ” OTT જોવાનું મોહસિનને ઘણું પસંદ છે. તે ફિલ્મો અને વેબ સિરીઝ જોઈને ખૂબ જ પ્રભાવિત થાય છે. OTT હાલમાં તેની પ્રાથમિકતા યાદીમાં છે.

સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે,મોહસિન હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે અને ભવિષ્યમાં તે કેટલાક સારા પ્રોજેક્ટ્સમાં કામ કરતો જોવા મળશે. અગાઉ એવી પણ ખબર આવી હતી કે,મોહસિન ખાન પણ સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ 15’નો ભાગ હશે, પરંતુ આ અહેવાલોને નકારી કાઢતા મોહસિને કહ્યું હતું કે,એવું કંઈ નથી અને તે આ શોનો ભાગ બનશે નહીં.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code