ઉનાળામાં ઠંડા પાણીથી નાહવાના ફાયદાઓઃ- ગરમીથી મળે છે રાહત
- ઉનાળામાં ઠંડા પાણીથી નાહવું ફાયદો કરે છે
- શરીરમાં, આંખોમાં થતી બળતરામાં રાહત થાય છે
- માથાનો ભાર હળવો થાય છે
- થકાનમાં રાહત મળે છે
હાલ ઉનાળાની કારઢાળ ગરમી ચાલી રહી છે અને એમાં જો ઠંડા પાણીથી નાહવાનું આવે તો કેવી મજા પડી જાયે, આપણએ બહાર ગયા હોઈએ અને ભર બપોરે ઘરમાં પ્રવેશ કરીએ એટલે પહેલાતો ઠંડા પાણીછથી નહાઈ લઈએ છે, અને ઠંડા પાણીથી નાહતાની સાથે જ જાણે બધો ભાર હળવો થઈ જાય છે.માથા પરથી જાણએ મોટો ભાર ઉતરી ગયાની અનુભુતી થાય છે.
ઠંડા પાણીથી નહાવાથી ગરમીના કારણે ઘગઘગતું શરીનું તાપમાન પણ સામાન્ય થઈ જાય છે, હાથ પગ અને ચહેરા પર ગરમીના કારણે થતી બળતરા શાંત પડી જાય છે.ગરમ પાણીથી નહાવાથી શરીરની ચામડીને ખરાબ અસર થાય છે પરંતું ઠંડા પાણીથી નહાવાથી ચાનડી ખરાબ થતી નથી, આ સાથે જ શરીરનો થાક રળતાથી ઉતરી પણ જાય છે.
ગરમ પાણી પીવા માટે ઉપયોગી છે તે વાત નકારી ન શકાય પરંતુ નહાવા માટે તે લાભકારી બિલકુલ પણ નથી,આ સાથે જ ગરમ પાણીથી નહાવાથી અનેક પ્રકારના રોગ પણ થાય છે, આ સાથે જ ગરમ પાણીથી જો તમને નહાવાની આદત હોય તો તમારે માથા પર અને ખાસ કરીને આંખો પર ગરમ પાણી રેડવું જોઈએ નહી, તેનાથી નુકશાન થવાની શક્યતાઓ છે, જ્યારે ઠંડા પાણીથી આંખઓ ઘોવાથી આંખો સાફ રહે છે અને જો આંખોમાંથી ગરનીમા લીધે પાણી પડતું હોય તો તે પણ બંધ થઈ જાય છે એકંદરે આંખોમાં રાહત મળે છે.
આ સાથે જ માથાના વાળ ઠંડા પાણીથી ઘોવાથી વાળની ક્ષમતા જળવાઈ રહે છે, જ્યારે ગરમ પાણીથી વાળ રુસ્ક અને ખરાબ થવાની શક્યતાઓ છે, આપણે આપણો ચહેરો પણ ઠંડા પાણીથી ધોવો જોઈએ જેનાથી ચહેરા પરનો ડસ્ટ તો દૂર થાય જ છે પરંતુ ચહેરાની સ્કિનને સહેજેય નુકશાન પણ થતું નથી.અને જો તમને શરીરનો દુખાવો હોય તો ઠંડુ અને ગરમ પાણી બન્ને મિક્સ કરીને નહાવાનું રાખો તો નુકશાન નહી કરે.
હાઈપર ટેન્શન, મસા થવા, લૂ લાગવી, પેશાબમાં બળતરા થવી, પેટમાં આગ બળવી જેવી અનેક સમસ્યામાં ઠંડા પાણી એટલે કે માટલામુ ઠંડુ પાણી પીવાથી ફાયદો થાય છે, અને ઠંડા પાણીથી નહાવાથી આ સમસ્યાઓ પણ દૂર થાય છે.
સાહિન-