1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો
લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો

લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો

0
Social Share

લીલા ચણાને બધા સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરના અનાજમાં સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક માનવામાં આવે છે. આ એક સુપર ફૂડ છે જેમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટસ અને ફાઈર મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. લીલા ચણામાં વિટામિન સી, વિટામિન કે, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરુપુર માત્રામાં મળી આવે છે. આ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ઘણી બીમારીઓથી બચાવે છે. 100 ગ્રામ લીલા ચણામાં કેટલા પોષક તત્વો હોય છે અને આ આપણા સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક છે, જાણીએ…
• 100 ગ્રામ લીલા ચણામાં ઘણા પોષક તત્વો મળી આવે છે
પ્રોટીન- લગભગ 9 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ- 20 ગ્રામ, ફાઈબર- 16 ગ્રામ, વિટામિન C- 88 મિલીગ્રામ, વિટામિન K- 100 માઈક્રોગ્રામ, ફોલેટ- 433 માઈક્રોગ્રામ, મેગ્નેશિયમ- 51 મિલીગ્રામ, આયર્ન- 2.7 માઈક્રોગ્રામ
• પાચન તંત્ર સ્વસ્થ બની રહે છે
લીલા ચણા આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે ઉચ્ચ ફાઈબર માત્રાના કારણે પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. લીલા ચણામાં 100 ગ્રામ દીઠ 16 ગ્રામ ફાઈબર હોય છે. આ ફાઈબર આપણા આહારમાં કબજીયાત જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે, સાથે પેટને સાફ રાખીને પાચન તંત્રની અન્ય મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ રીતે લીલા ચણાને નિયમિત રીતે ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. અને પાચન તંત્ર સ્વસ્થ બની રહે છે. આ એક ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક શઆકભાજી છે. જે લોકો વજન ઘટાડવા માગે છે, તેમના માટે લીલા ચણા એક સારો વિકલ્પ હોય શકે છે. આ વજન નિયંત્રણ માટે ખૂબ પ્રભાવી છે, કેમ કે તેમાં ઓછી કેલેરી હોય છે. સાથે જ ફાઈબરથી ભરપૂર હોય છે. લીલા ચણામાં 100 ગ્રામ દીઠ 44 કેલેરી હોય છે. જે ખૂબ ઓછી છે. સાથે જ ઉચ્ચ ફાઈબર પણ પેટ ભરેલું રાખીને ખોરાકમાં કેલેરી ઘટાડવામાં મદદ કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code