1. Home
  2. ગુજરાતી
  3. ભાજપના સીએમ પદના નેતા ભજનલાલે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો
ભાજપના સીએમ પદના નેતા ભજનલાલે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો

ભાજપના સીએમ પદના નેતા ભજનલાલે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો

0
Social Share

જયપુરઃ રાજસ્થાનમાં સીએમ પદ માટે ભજનલાલ શર્માનું નામ જાહેર થયા બાદ ભજનલાલ અને ભાજપના નેતાઓએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી. તેમજ સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો હતો. આગામી 15મી ડિસેમ્બરના રોજ શપથવિધિ સમારોહ યોજાય તેવી શકયતા છે.  રાજ્યભવનમાં યોજનારા શપથવિધિ સમાહોરમાં લગભગ 12 જેટલા નેતાઓ મંત્રીપદના શપથ ગ્રહણ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

છત્તીસગઢ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રીની પસંદગી લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમના નામની જાહેરાત કરાયા બાદ તમામની નજર રાજસ્થાનમાં કોણ ભાજપના સીએમ બનશે તેની ઉપર નજર મંડાયેલી હતી. સવારથી જ રાજસ્થાનના નવા મુખ્યમંત્રીને લઈને વિવિધ નામ ચર્ચાયા હતા. દરમિયાન ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા સીએમ તરીકે ભજનલાલ શર્માના નામની પસંદગી કરાઈ છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર નેતા વસંધરા રાજેએ ભજનલાલ શર્માનું નામ મુખ્યમંત્રી તરીકે મુક્યું હતું. જેને ભાજપના ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી. જે બાદ ભાજપના નેતાઓ રાજભવન ગયા હતા. તેમજ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં ભાજપાના ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયેલા નિર્ણયથી માહિતગાર કર્યાં હતા. રાજસ્થાન ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર ભજનલાલ શર્મા, પૂર્વ મુખ્યમંત્રી વસંધરા રાજે, દિયા કુમારી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સહિતના ભાજપના આગેવાનો રાજભવન ગયા હતા.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજ્ય બાદ અશોક ગહેલોતે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો હતો. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની પસંદગી લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code