1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરઃ હડતાળ પર ઉતરેલા તલાટીઓએ દરિયાકાંઠાની સફાઈ કરી તિરંગા યાત્રા યોજી
ભાવનગરઃ હડતાળ પર ઉતરેલા તલાટીઓએ  દરિયાકાંઠાની સફાઈ કરી તિરંગા યાત્રા યોજી

ભાવનગરઃ હડતાળ પર ઉતરેલા તલાટીઓએ દરિયાકાંઠાની સફાઈ કરી તિરંગા યાત્રા યોજી

0
Social Share

ભાવનગરઃ ગુજરાતમાં કેટલાક દિવસથી તલાટીઓ પોતાની માગણીના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા છે. તલાટીઓ દ્વારા વિવિધ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લાના તલાટીઓએ સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા સકારાત્મક કાર્યો કરીને વિરોધ કર્યો હતો.

ગુજરાતમાં તલાટીઓની હડતાળ ચાલી રહી છે. જેમાં ભાવનગર જિલ્લાના તલાટી મંત્રીઓ પણ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. હડતાલના આઠમા દિવસે 300થી વધારે તલાટી મંત્રીઓએ ધાવડી માતાના મંદિરેથી કોળીયાક સુધી તિરંગા યાત્રા કાઢી હતી અને સાથે કોળીયાક દરિયા કિનારાની સફાઈ હાથ ધરી હતી આમ, તલાટી મંત્રીઓ દરરોજ અવનવા પ્રકારે સકારાત્મક કાર્યો કરીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભાવનગર સહિત રાજ્યભરના તલાટી મંત્રીઓ પડતર પ્રશ્ને 2 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. બુધવારે હડતાળના આઠમા દિવસે પણ હડતાલ યથાવત જોવા મળી હતી, ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા 2018 થી સતત લેખિત રજુઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલ નથી, તલાટી મંત્રીઓ દરરોજ અવનવા સકારાત્મક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા આઠ દિવસથી તલાટી મંત્રીઓએ  વૃક્ષારોપણ,  તિરંગા યાત્રા, સફાઈ અભિયાન સહિતના જુદા જુદા કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.  જિલ્લામાં 322 તલાટી મંત્રી હડતાલમાં જોડાયા છે અને તલાટી મંત્રીઓ અવનવાં પ્રકારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે જેના ભાગરૂપે આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત 75 વૃક્ષોનું ટ્રી ગાર્ડ સાથે રોપણ કરી નવતર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

હડતાળ પર ઉતરેલા તલાટીઓની માગણી છે. કે, 2004 થી 2006માં ભરતી થયેલા તલાટી મંત્રીઓને સળંગ નોકરી ગણવામાં આવી નથી તેથી તેઓને બઢતીમાં નુકસાન થાય તેમ છે. તેથી સળંગ નોકરી ગણવા માંગણી કરી છે, 12 અને 24 વર્ષે બે વાર ઉચ્ચતર પગાર માટે પરીક્ષા લેવામાં આવે છે. તેથી પ્રથમ પરીક્ષા રદ કરવી, રેવન્યુ તલાટીની મોટાભાગની કામગીરી  તલાટી મંત્રીઓ કરી રહ્યા છે તેથી તેની સાથે સમાવેશ કરો, દરેક વિભાગની મોટાભાગની કામગીરી તલાટીઓ કરી રહ્યા છે તેથી કામ ભારણ વધ્યું છે,  તલાટી મંત્રી મહામંડળ દ્વારા સતત 2018થી લેખિત રજુઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવમાં આવતુ નથી.  આ અગાઉ 7-9-2021ના રોજ હડતાલનું એલાન કર્યું હતું. પરંતુ એ સમયે સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનું સુખદ ઉકેલ લાવવાની બાહેધરી આપતા હડતાલ મોકૂફ રાખી હતી, જે બાહેધરી 9 માસ જેટલો સમય થવા છતાં અને વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નોનો સુખેદ સુખદ ઉકેલ નહીં, આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે હડતાલનો નિર્ણય કર્યો છે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code