1. Home
  2. Tag "Tiranga Yatra"

સુરતમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, ધારાસભ્યો, સાંસદ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા

સુરતઃ  શહેરમાં હર ઘર તિરંગા યાત્રાને લઈને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભાજપ દ્વારા અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં યાત્રા યોજવામાં આવી હતી. ભાજપના યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઈક રેલીમાં સહભાગી થયા હતા. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વરાછા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય […]

અમદાવાદમાં તિરંગા યાત્રામાં દેશના ત્રણેય પાંખના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ  કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી  અમિત શાહે આજે ગુજરાતનાં અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે હાથમાં તિરંગો લઈને ઉભેલા હજારો લોકોને જોતા એવું લાગે છે કે દેશના દરેક […]

રાજકોટમાં 14મી ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે, રાસ-ગરબા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું

રાજકોટઃ દેશભરમાં આગામી 15 ઓગસ્ટનાં રોજ 77માં સ્વાતંત્ર્ય પર્વની ભારે આનંદોલ્લાસથી ઊજવણી કરાશે. જેના ભાગરૂપે રાજકોટમાં 14 ઓગસ્ટનાં રોજ એક તિરંગયાત્રાનું આયોજન કરાયુ છે. સરદાર પટેલની પ્રતિમાંથી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધીની આ તિરંગયાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. તિરંગાયાત્રાને સફળ બનાવવા માટે શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવનાં અધ્યક્ષસ્થાને ખાસ બેઠક યોજવામાં આવી હતી. […]

ભાવનગરમાં તિરંગા મહોત્સવ, નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગાને લઈને ઉમટી પડ્યાં

ભાવનગરઃ શહેરમાં તિરંગોત્સવ ભારે ઉત્સાહ ઇને ઉમંગથી ઊજવાયો હતો. તિરંગા યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં પણ અનેક નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ભાવનગર શહેરમાં પોલીસ બેન્ડ, વિવિધ […]

ભાભરમાં રાષ્ટ્રભક્તિના માહોલમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રાની શરૂઆત શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના કેમ્પસથી કૉલેજ કેમ્પસ ડિરેક્ટર દામીનીબેન સોની અને કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર દ્વારા લીલી […]

રાજકોટમાં આજે CM ઉપસ્થિતિમાં યોજાનારી તિરંગા યાત્રામાં એક લાખ નાગરિકો જોડાશે

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં આજે 12મી ઓગસ્ટે રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે. આ યાત્રા માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી દ્વારા પખવાડિયાથી  તડામાર […]

ભાવનગરઃ હડતાળ પર ઉતરેલા તલાટીઓએ દરિયાકાંઠાની સફાઈ કરી તિરંગા યાત્રા યોજી

ભાવનગરઃ ગુજરાતમાં કેટલાક દિવસથી તલાટીઓ પોતાની માગણીના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા છે. તલાટીઓ દ્વારા વિવિધ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લાના તલાટીઓએ સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા સકારાત્મક કાર્યો કરીને વિરોધ કર્યો હતો. ગુજરાતમાં તલાટીઓની હડતાળ ચાલી રહી છે. જેમાં ભાવનગર જિલ્લાના તલાટી મંત્રીઓ પણ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. હડતાલના આઠમા […]

ગુજરાતના 33 જિલ્લા મથકોએ કોંગ્રેસ દ્વારા સર્વધર્મ સમભાવના સંદેશ સાથે તિરંગા યાત્રા યોજાઈ

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં યોજાનારી “ભારત જોડો તિરંગા યાત્રા”ના ભાગ રૂપે અમદાવાદમાં શહીદ વીર કિનારીવાલા સ્મારકે પુષ્પાંજલિ કર્યા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની બાઈક રેલી મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પહોચી હતી. રેલીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ […]

રાજકોટમાં 12મીને શુક્રવારે યોજાનારી તિરંગા યાત્રામાં સીએમ અને ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશે

રાજકોટઃ ગુજરાત રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ હોય તેમ  હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી રંગેચંગે થઈ રહી છે. રાજકોટ શહેરમાં તારીખ 12 ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આગામી 12 તારીખને શુક્રવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા રાજકોટ […]

અમદાવાદમાં ભાજપના યુવા મોરચાની તિરંગા યાત્રાનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ

અમદાવાદઃ  આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે  આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાશે, દેશના સૌ નાગરીકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રવિવારે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું.  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code