1. Home
  2. ગુજરાતી
  3. લક્ષ્મીવિલાસ બેંકનું સિંગાપોર સ્થિત DBS સાથે થશે મર્જર
લક્ષ્મીવિલાસ બેંકનું સિંગાપોર સ્થિત DBS સાથે થશે મર્જર

લક્ષ્મીવિલાસ બેંકનું સિંગાપોર સ્થિત DBS સાથે થશે મર્જર

0
Social Share
  • આર્થિક સંકટમાં ફસાયેલી લક્ષ્મીવિલાસ બેંકનો મામલો હવે સમાપ્ત થવાને આરે
  • લક્ષ્મીવિલાસ બેંકને DBS સાથે મર્જ કરવામાં આવશે તેવા અહેવાલ
  • DBS આ માટે 2,500 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

નવી દિલ્હી: આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલી લક્ષ્મીવિલાસ બેંકનો મામલો હવે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે. તેને DBS સાથે મર્જ કરવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. મોરેટોરિયમના એક મહિના પછી મર્જર પ્રક્રિયા શરૂ થશે. DBS આ માટે 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. લક્ષ્મીવિલાસ બેંક પર મોરેટોરિયમ 16 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે.

આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રની લક્ષ્મીવિલાસ બેંકને મોરેટોરિયમ પીરિયડમાં નાખીને અનેક પાબંધીઓ લગાવી છે. નાણાં મંત્રાલય દ્વારા બેંકને 16 ડિસેમ્બર સુધી (મોરેટોરિયમ) હેઠળ મૂકી દેવામાં આવી છે. કેન્દ્રએ બેંકની ગ્રાહકોની ઉપાડની મર્યાદા પણ નિર્ધારિત કરી છે. હવે ગ્રાહકો એક મહિના સુધીના બેંકમાંથી રોજના 25,000થી વધુ ઉપાડી શકશે નહીં.

નાણામંત્રાલયે લક્ષ્મી વિલાસ બેંકને બીઆર એક્ટની ધારા-45 હેઠળ આરબીઆઈ દ્વારા કરાયેલી અરજી અંતર્ગત મોરેટોરિયમ પીરિયડ પર મૂકી દીધી છે. મોરેટોરિયમ પીરિયડ લાગુ થતાં જ હવે બેંક ગ્રાહકોને 25 હજારથી વધુ પેમેન્ટ નહીં કરી શકે. આ માટે હવે આરબીઆઈની પરમીશન લેવી પડશે. આરબીઆઈના આદેશ બાદ જ બેંક 25 હજારથી વધુની રકમ ગ્રાહકને આપી શકશે.

મોરેટોરિયમની અવધિના સમયગાળા દરમિયાન ગ્રાહકો ઉચ્ચ શિક્ષણ ફી, બિમારી કે લગ્ન જેવા કામો માટે 25 હજારથી વધારે રકમ ગ્રાહક કાઢી શકે છે. જો કે, આ માટે RBIની મંજૂરી જરૂરી છે. વર્ષ 2019માં જ લક્ષ્મીવિલાસ બેંકમાં મુશ્કેલીઓ શરૂ થઇ હતી. એ સમયે RBIએ લક્ષ્મી વિલાસ બેંક દ્વારા ઇન્ડિયા બુલ્સ ફાઇનાન્સ સાથે મર્જરના પ્રસ્તાવને રદ કરી દીધો હતો.

સપ્ટેમ્બર 2020થી શેરધારકો દ્વારા 7 ડિરેક્ટર સામે અવિશ્વાસના પ્રસ્તાવ બાદ RBIએ મની ક્રાઇસિસનો સમસ્યાનો ભોગ બનેલી આ બેન્કને ચલાવવા માટે મીતા માખનની આગેવાની હેઠળ 1 3 સદસ્યોની કમિટી બનાવી હતી.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code