- દેશમાં કોરોનાની સારવાર દરમિયાન આવશ્યક ઓક્સિજન કોન્સટ્રેટર-ઓક્સિમીટર થયા સસ્તા
- કેન્દ્ર સરકારે મેડિકલ ઉપકરણો પર લાગતા GST દરો પર કાપ મૂક્યો
- આ નિર્ણયથી ખાસ કરીને સંક્રમિતના પરિવારોને આર્થિક રાહત મળશે
નવી દિલ્હી: દેશમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સંક્રમિત દર્દીઓ માટે જો કોઇ વસ્તુ સૌથી વધુ આવશ્યક હોય તો તે છે પલ્સ ઑક્સિમીટર, ઓક્સિજન કોન્સટ્રેટર તેમજ થર્મોમીટર. આ મહામારી દરમિયાન આ ઉપકરણોની સૌથી વધુ અનિવાર્યતા છે ત્યારે હવે સરકારે આ ઉપકરણો પર GSTમાં ઘટાડો કર્યો છે.
કેન્દ્ર સરકારે ઑક્સિમીટર, કોન્સટ્રેટર તેમજ અન્ય કોવિડ સારવારથી સંબંધિત મેડિકલ ઉપકરણો પર GST દરમાં ઘટાડો કર્યો છે. ગૂડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલે હાલમાં જ ઉપકરણો પર 5 થી 12 ટકા ટેક્સમાં કાપ મૂક્યો છે. જો કે આ કાપ 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે અને જરૂર પડે સમયગાળો લંબાવવામાં આવી શકે છે.
આ અંગે જણાવતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,કોવિડ સારવારમાં જરૂર પડતાં મેડિકલ ડિવાઇસિસ પર 5 ટકા જીએસટી ઘટાડવામાં આવ્યો છે જ્યારે કોવિડ ટેસ્ટિંગ કીટ પરથી જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે Tocilizumab અને Amphotericin B પરથી જીએસટી દર હટાવી લેવામાં આવ્યો છે.
તે ઉપરાંત કોરોનાની દવા Heparin, Remdesivir, અને Anti-Coagulants પર ટેક્સને 12 થી ઘટાડીને 5 ટકા કરાયો છે.