1. Home
  2. ગુજરાતી
  3. આગામી રવિવારે 23મેના રોજ બેંકની આ સુવિધા નહીં મળે, RBIએ આપી જાણકારી
આગામી રવિવારે 23મેના રોજ બેંકની આ સુવિધા નહીં મળે, RBIએ આપી જાણકારી

આગામી રવિવારે 23મેના રોજ બેંકની આ સુવિધા નહીં મળે, RBIએ આપી જાણકારી

0
Social Share
  • આગામી રવિવારે બેંકની NEFT સેવા થશે પ્રભાવિત
  • RBIએ તમામ ગ્રાહકોને આ સેવા પ્રભાવિત થવા અંગે કર્યા સૂચિત
  • ટેકનિકલ અપડેશન બાદ સેવા ફરીથી શરૂ થશે

નવી દિલ્હી: જો તમે આગામી રવિવારે NEFT મારફતે કોઇ ટ્રાન્ઝેક્શન કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. કારણ કે તમે 23 મેના રોજ રવિવારના દિવસે NEFT મારફતે ફંડ ટ્રાન્સફર કરી શકશો નહીં. RBIએ આ સૂચના આપી છે.

RBIએ ઑનલાઇન ટ્રાન્ઝેક્શનનો યૂઝ કરતા યૂઝર્સને ખાસ સૂચના આપી છે કે, તમે 23મેના રોજ રવિવારે NEFTની મદદથી ઑનલાઇન ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. તમામ બેંક ગ્રાહકોને આ સૂચના અપાઇ છે.

RBI અનુસાર, NEFTની સેવા રાતે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે એટલે કે 23મી તારીખે રવિવારે 14 કલાક સુધી NEFTની સર્વિસ કામ કરશે નહીં. ડિજીટલ ટ્રાન્ઝેક્શનના કામ તમે શનિવારે જ પૂર્ણ કરી લો તે અનિવાર્ય છે. ટેકનિકલ અપડેશન બાદ આ સેવા પૂર્વવત થઇ જશે.

જો કે, રવિવારે RTGS સેવાને કોઇ અસર નહીં થાય, તે સેવા ચાલુ જ રહેશે.

RTGS સિસ્ટમને અગાઉ 18 એપ્રિલે અપડેટ કરાઇ હોવાથી હવે તે સેવામાં કોઇ અવરોધ જોવા નહીં મળે. આપને જણાવી દઇએ કે NEFT એ ડિજીટલ માધ્યમથી એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાનું એક માધ્યમ છે. તેમાં એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સુરક્ષિત રીતે નાણાં ટ્રાન્સફર કરી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code