1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ, કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

નવી દિલ્હીઃ આજથી ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા-યુસીસી લાગુ થઈ રહ્યો છે. ઉત્તરાખંડ આ કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે કાયદાના અમલીકરણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં નિયમોની મંજૂરી અને સંબંધિત કર્મચારીઓને તાલીમ આપવાનો સમાવેશ થાય છે. યુસીસીનો ઉદ્દેશ્ય બધા નાગરિકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત […]

દીપડાના ચામડા અને નખ જપ્ત સાથે પાંચ શખ્સોની ડીઆરઆઈએ અટકાયત કરી

અમદાવાદઃ DRI દ્વારા ચોક્કસ ખાનગી માહિતી અને CID (ક્રાઇમ), ગુજરાતના ઇનપુટ્સના આધારે, અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત વેપાર કામગીરીને સફળતાપૂર્વક અટકાવી અને બે દીપડાના ચામડા અને 18 દીપડાના નખ જપ્ત કર્યા હતા . ગેરકાયદે વેપારમાં સામેલ પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, અને જપ્ત કરાયેલી વસ્તુઓ […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવી શકનાર સિરાજ હવે રણજી ટ્રોફી રમશે

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો નથી. સિરાજ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલરોમાંનો એક છે, પરંતુ તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સ્થાન મળી શક્યું નથી. હવે રિપોર્ટ સામે આવ્યો છે કે ટીમ ઈન્ડિયાની બહાર રહેલા સિરાજ રણજી ટ્રોફી રમતા જોવા મળી શકે છે. હૈદરાબાદ માટે […]

નક્લી એન્કાઉન્ટર કેસમાં જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે શું લેવાય છે કાર્યવાહી?

મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય શોષણના આરોપી અક્ષય શિંદેનું ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ પછી, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો, અને હવે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે આ માટે પાંચ પોલીસકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે. પણ આ પહેલો કિસ્સો નથી. […]

આલુના બદલે હવે ડુંગળીના પરોઠાનો માણો સ્વાદ, જાણો રેસીપી

જો તમે આલુના પરાઠા ખાવાથી કંટાળી ગયા છો અને કંઈક નવું અજમાવવા માંગો છો તો ડુંગળીના પરાઠા એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ડુંગળીના પરાઠા ફક્ત સ્વાદમાં જ અલગ નથી, પણ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તેનો મસાલેદાર, થોડો મીઠો અને કરકરો સ્વાદ તમને નવો અનુભવ આપશે. આ પરાઠા નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી […]

મુંબઈના માર્ગો ઉપરથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલથી દોડતા વાહનોને તબક્કાવાર દૂર થશે!

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ડીઝલ અને પેટ્રોલ વાહનોને તબક્કાવાર બંધ કરવાની શક્યતા શોધવા માટે એક પેનલની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે મુંબઈના રસ્તાઓ પરના વાહનો શહેરની બગડતી હવાની ગુણવત્તાનું એક મુખ્ય કારણ છે. મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ડિવિઝન બેન્ચે સરકારને 15 દિવસની અંદર નિષ્ણાતો અને નાગરિક વહીવટકર્તાઓની […]

તલના તેલનો ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી મળશે છુટકારો

આજના સમયમાં વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તણાવ, ખરાબ જીવનશૈલી, પ્રદૂષણ અને ખરાબ આહાર જેવા ઘણા પરિબળો વાળના સ્વાસ્થ્યને અસર કરે છે. આવી સ્થિતિમાં, વાળની સંભાળ માટે કુદરતી ઉપાયોનો ઉપયોગ કરવો એ એક સારો વિકલ્પ બની શકે છે. તલનું તેલ, જેને આયુર્વેદમાં “સંપૂર્ણ દવા” કહેવામાં આવે છે, તે વાળ ખરતા અટકાવવા […]

આ છ પ્રકારના ખાદ્ય પદાર્થોથી રાખો અંતર નહીં તો ઉંમર ઘટશે

આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય અને આયુષ્ય પર પડે છે. યોગ્ય આહાર આપણને સ્વસ્થ રાખવા ઉપરાંત આયુષ્ય પણ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ખોરાક ધીમે ધીમે આપણું આયુષ્ય ઘટાડી શકે છે? તાજેતરના અભ્યાસોમાં 6 એવી ખાદ્ય ચીજો ઓળખી કાઢવામાં આવી છે, જેનું સતત સેવન કરવાથી ગંભીર રોગો […]

બપોરના ભોજન અને રાત્રિભોજન વચ્ચે કેટલા કલાકનું અંતર હોવું જોઈએ? જાણો….

દૈનિક આહાર અને ભોજન વચ્ચેનો સમય આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. નિષ્ણાતોના મતે, બપોરના ભોજન અને રાત્રિભોજન વચ્ચે યોગ્ય સમયનું અંતર ન રાખવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. પ્રખ્યાત પોષણશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, લંચ અને ડિનર વચ્ચે 4 થી 6 કલાકનો ગેપ આદર્શ માનવામાં આવે છે. આ સમય પાચનતંત્રને ખોરાકને યોગ્ય રીતે પચાવવા […]

બહેનો… જો તમને શરીરમાં આ ચિહ્નો દેખાય તો ધ્યાન રાખો, થઈ શકે છે આયર્નની કમી

શરીરના વિકાસ માટે આયર્ન ખૂબ જ મહત્વપૂર્ણ ખનિજ છે. શરીરમાં હિમોગ્લોબિન અને કેટલાક હોર્મોન્સ બનાવવા માટે તે જરૂરી છે. હિમોગ્લોબીનની કમીને કારણે ઓક્સિજન શરીરના દરેક અંગો સુધી સરખી રીતે પહોંચતું નથી. આયર્નની ઉણપથી થાક, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ અને એનિમિયા જેવી સમસ્યાઓ થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયર્નની કમી વધુ જોવા મળે છે. તેની કમીથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code